TOP News :વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ત્યારે આજે દ્વારકામાં બનેલા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું છે
TOP News :વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. આજે વહેલી સવારે તેઓ બેટ દ્વારકા પહોંચીને શ્રી કૃષ્ણ મંદિરમાં પૂજા અર્ચના બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન મોદી સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી તેમના પ્રવાસ દરમિયાન જુદા-જુદા 52 હજાર કરોડના વિકાસના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ત્યારે આજે દ્વારકામાં બનેલા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું છે. આ બ્રિજ દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે, આ બ્રિજ ઓખાને બેટ દ્વારકા મંદિર સાથે જોડશે. વડાપ્રધાને આ બ્રિજને જનતાને સમર્પિત કર્યો છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ સવારે બેટ દ્વારકા મંદિરમાં પૂજા અને અર્ચના કર્યા હતી. વડાપ્રધાન મોદી લાંબા સમય સુધી મંદિર પરિસરમાં રોકાયા હતા. એવું માનવામાં આવે છે કે બેટ દ્વારકાનું મંદિર ભગવાન કૃષ્ણનું ઘર હતું અને અહીં ભગવાન કૃષ્ણ તેમના મિત્ર સુદામાને મળ્યા હતા.
TOP News :સુદર્શન સેતુની વિશેષતાઓ
• સુદર્શન સેતુ સ્ટિલના તોરણ અને પંખા જેવી પેટર્નમાં ગોઠવાયેલા કેબલથી બનેલો છે. આ એક કેબલ-સ્ટેડ બ્રિજ છે. આ પ્રકારના પુલમાં વજન સ્ટિલના કેબલ પર રહે છે. બ્રિજ ડેક સ્ટિલ અને પ્રબલિત કોંક્રિટથી બનેલો છે
• સુદર્શન સેતુની પહોળાઈ 27.2 મીટર છે. અવરજવર માટે બે લેન છે. આ સાથે બંને બાજુ 8 ફૂટ પહોળી ફૂટપાથ છે
• ફૂટપાથ શેડની છત પર સોલાર પેનલ લગાવવામાં આવી છે. આ 1 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે
• પુલની કુલ લંબાઈ 2320 મીટર છે, તે ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ટેડ બ્રિજ છે
• ઓખા અને બેટ દ્વારકા કાંઠે આવેલા એપ્રોચ બ્રિજની લંબાઈ અનુક્રમે 770 મીટર અને 650 મીટર છે
• બ્રિજના બે પાઈલોન 129.985 મીટર ઊંચા છે. તેમનો આકાર A જેવો છે
• પુલ સાથે જોડાયેલા રસ્તાની કુલ લંબાઈ 2.8 કિલોમીટર છે
• પીએમ નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2017ના રોજ આ પુલનો શિલાન્યાસ કર્યો હતો.