Surat Crime News :હેવાનિયતની હદ પાર……! 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી, Breaking News 1

Spread the love

Surat Crime News :સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતિથૈયા ગામેથી 11 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો

Surat Crime News :સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતિથૈયા ગામેથી 11 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પાંચ દિવસ અગાઉ બાળકી પોતાના ફળિયામાંથી ગૂમ થઈ હતી. બાળકીનું દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરનાર બે નરાધમોની પોલીસે ધરપકડ કરી લીધી છે. બાળકી રહે એ જ સોસાયટીમાં રહેતા બે યુવાનોએ કૃત્ય કર્યાનું બહાર આવ્યું છે. પલસાણા તાલુકાના તાંતિથૈયા ગામે શિવદર્શન સોસાયટીમાં એક રહેતી એક 11 વર્ષીય બાળકી ગત સોમવારના રોજ પોતાના ફળિયામાં રમી રહી હતી. દરમિયાન મોડી સાંજ સુધી બાળકી જોવા નહીં મળતા પરિવારજનો એક કડોદરા પોલીસને જાણ કરી હતી. જેથી કડોદરા પોલીસ પણ દોડતી થઈ હતી.

Surat Crime

પોલીસે આજુબાજુના ગામની સીમમાં પણ શોધવાના પ્રયાસ કર્યા હતા. બાળકી ગૂમ થયાને છઠ્ઠા દિવસે બપોરના સમયે ગૂમ થયેલી 10 વર્ષીય બાળકીનો તાંતિથૈયા ગામેથી જ અવાવરું જગ્યાએ ઝાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીના શરીર ઉપર કેટલાક ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. પી એમ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયાંનું પણ જણાયું હતું. લાંબી તપાસ બાદ બાળકી જે વિસ્તારમાં રહેતી હતી ત્યાં જ તપાસ કેન્દ્રિત કરી હતી. નરાધમો અન્ય કોઈ નહીં પરંતુ શિવદર્શન સોસાયટીમાં રહેતા 23 વર્ષીય દિપક શિવદર્શન કોરી તેમજ અનુજ સુમન પાસવાન નામના બે નરાધમોની પોલીસએ ધરપકડ કરી લીધી છે.

પહેલા દુષ્કર્મ આચર્યું બાદમાં કરી હત્યાબંને નરાધમોએ ઘટના દિવસે ગુના વાળી જગ્યાએ બેસેલા હતા. જ્યાં આંબલી ખાવા માટે બાળકી આવી પહોંચી હતી. જેથી બાળકીને જોઈ બન્ને યુવાનોના મનમાં વાસના સળવળી ઉઠી હતી. બન્ને યુવાનો બાળકીને ઝાડીમાં લઇ જઇ વારાફરતી દુષ્કર્મ કર્યું હતું. બાળકી એ જ સોસાયટીમાં રહેતી હોય પકડાઈ જવાની બીકે બન્ને નરાધમોએ બાળકીને ગળું દબાવી હત્યા કરી ઝાડીમાં મૃતદેહ મૂકી જતા રહ્યા હતા.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *