Gujarat News :ગુજરાતમાં 24 કલાકમાં 3 વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોના કુકર્મની ઘટનાઓ સામે આવી, Breaking News 1

Spread the love

Gujarat News :ગુજરાતમાં શિક્ષાના ધામમાં બાળકીઓ સાથે કુકર્મની 24 કલાકમાં બે ઘટનાઓ સામે આવતા ખળભળાટ મચી ગયો છે

Gujarat News :ગુજરાતમાં શિક્ષાના ધામમાં બાળકીઓ સાથે કુકર્મની 24 કલાકમાં બે ઘટનાઓ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અમરેલીમાં શિક્ષકે જ સગીર વિદ્યાર્થિની પર 2 વખત દુષ્કર્મ આચર્યાની ઘટના બની છે, તો આણંદના આંકલાવમાં શિક્ષકે બે વિદ્યાર્થિનીને શારીરિક અડપલા કર્યા હતા. મામલો સામે આવતા વાલીઓએ પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Gujarat

આંકલાવમાં શિક્ષકે કર્યા વિદ્યાર્થિનીઓ સાથે અડપલા

વિગતો મુજબ, આણંદના આંકલાવમાં આવેલી કોસિન્દ્રા શિક્ષક દ્વારા સ્કૂલમાં બે વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થિનીઓએ સ્કૂલે જવાનું બંધ કરી દેતા પરિવારને શંકા ગઈ હતી. જે પછી વિદ્યાર્થિનીઓ દ્વારા તેમના વાલીઓને જાણ કરાતા મામલો બીચકયો હતો અને વાલીઓ અને ગ્રામજનોએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો.

જે બાદ વાલીઓએ કિરણ વાળંદ નામના શિક્ષકને પોલીસના હવાલે કરીને ફરિયાદ નોંધાવી હતી. આંકલાવ પોલીસે શિક્ષક સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલીમાં શિક્ષકે વિદ્યાર્થિની પીંખી નાખી

તો બીજી તરફ અમરેલીમાં પણ મોટા આસરાણા ગામ નજીક આવેલી ખાનગી સ્કૂલના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. નરાધમ શિક્ષકે સગીર વિદ્યાર્થિની પર 2 વાર દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ શિક્ષક સામે ડુંગર પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી શિક્ષક મોહીત જીંજાળાને મહુવા તાલુકાના બોરડી ગામ નજીકથી ઝડપી પાડયો હતો.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *