Garba News :યુનેસ્કોએ ગુજરાતના સાંસ્કૃતિક વારસા અને ગૌરવ સમા ગરબાને “અમૂર્ત સાંસ્કૃતિક વારસો” તરીકે નિયુક્ત કરતું પ્રમાણપત્ર આપ્યું હતું
Garba News :ગુજરાત અને સમગ્ર ભારત આ ક્ષણે ગર્વ અને ખુશીઓથી ભરાઈ ગયું છે. યુનેસ્કોએ ગુજરાતના સાંસ્કૃતિક વારસા અને ગૌરવ સમા ગરબાને “અમૂર્ત સાંસ્કૃતિક વારસો” તરીકે નિયુક્ત કરતું પ્રમાણપત્ર આપ્યું હતું. યુનેસ્કો દ્વારા નિશ્ચિત. 6 ડિસેમ્બર, 2023 ના રોજ, ગરબાને સન્માન માટે પસંદ કરવામાં આવ્યા હતા. ગુજરાતના મંત્રીઓ હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયાએ 22 માર્ચ, 2024ના રોજ પેરિસમાં યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ ઓડ્રે એઝોલ પાસેથી રૂબરૂમાં પ્રમાણપત્ર મેળવ્યું હતું.



આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડીયા ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, પ્રાદેશિક નૃત્યો મળીને કુલ 15 સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં સમાવિષ્ટ થઈ ચૂકી છે. તેમજ આદ્યશક્તિનાં પ્રખર ઉપાસક અને દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા. ત્યારથી જ રાજ્યની સાંસ્કૃતિઓ વિરાસતનોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે.
તેમના માર્ગદર્શનમાં નવીન ઉપક્રમ તરીકે રાજ્યમાં શરુ કરાયેલ વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ દ્વારા ગરબાને વિશ્વભરમાં વ્યાપક પ્રસિદ્ધિ મળી છે. અને નવરાત્રિ ઉત્સવ વિશ્વમાં સૌથી લાંબો ચાલનારો લોકોત્સવ તરીકે ખ્યાતિ પામ્યો છે. ગરબાને વૈશ્વિક સ્તરે યુનેસ્કો દ્વારા સન્માન મળ્યુંએ વડાપ્રધાનના “વિકાસ ભી, વિરાસત ભી” ના ધ્યેયને સાકાર કરતી ગૌરવરૂપ ઘટના છે.