Complaint Against Mansukh Mandaviya :પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે
Complaint Against Mansukh Mandaviya :લોકસભાની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. લોકસભા 2024ની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે અને 4 જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવવાની છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર 7 મે 2024ના રોજ મતદાન યોજાશે અને 4 જૂનના રોજ મતગણતરી યોજાશે.

ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રચંડ પ્રચારમાં લાગી ગયા છે. આ વચ્ચે પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે.
પોરબંદર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ મનસુખ માંડવિયાનું નામ જાહેર કરતા જ તેઓએ પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. તેઓ સતત જાહેર સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે મીડિયા રિપોર્ટ અનુસાર પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે.