Ahmedabad News :અમદાવાદમાં હવે કૂતરું પાળવા માટે લેવું પડશે લાઈસન્સ, Breaking News 1

Spread the love

Ahmedabad News :અમદાવાદ શહેરને 2030 સુધીમાં હડકવા મુક્ત કરવાનો AMC દ્વારા પ્લાન કરાયો છે, જેને લઈને હવે રખડતા કૂતરા પાળવા માટે ગાઈડલાઈન નક્કી કરવામાં આવશે

Ahmedabad News :અમદાવાદમાં હવે કૂતરું પાળવા માટે લાઇસન્સ લેવું જરૂરી બન્યું છે. અમદાવાદ શહેરને 2030 સુધીમાં હડકવા મુક્ત કરવાનો AMC દ્વારા પ્લાન કરાયો છે. જેને લઈને હવે રખડતા કૂતરા પાળવા માટે ગાઈડલાઈન નક્કી કરવામાં આવશે. સાથે જ કોઈ વ્યક્તિએ ઘરમાં કૂતરું પાળવું હોય તો પણ લાઈસન્સ લેવું જરૂરી બનશે. આ માટે લાઈસન્સની ફી રૂ.500થી રૂ.1000 વચ્ચે હોઈ શકે છે. આ સાથે કૂતરાને RFID ચીપ લગાવવાની રહેશે. રખડતા કૂતરાઓને પણ હડકવા વિરોધી રસી મૂકવાનો નિર્ણય AMC દ્વારા લેવામાં આવ્યો છે.

Ahmedabad

અમદાવાદમાં રખડતા શ્વાનનો ત્રાસ વચ્ચે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા શ્વાન અને પાળતુ શ્વાન માટે પોલિસી બનાવી છે. જે મુજબ હવે ઘરમાં શ્વાન પાળવા માટે પણ ફરજિયાત લાઈસન્સ લેવાનું રહેશે. આ સાથે જ પાળતું શ્વાન માટે પણ કેટલાક અન્ય નિયમો બનાવાયા છે.

આ નિયમો મુજબ, શ્વાન માલિકે ધ્યાન રાખવું પડશે કે શ્વાનના કારણે આસપાસના લોકોને હેરાનગતિ ન થાય. શ્વાનના ગલુંડિયાને કોઈને આપવા કે વેચવા પર AMCને જાણ કરવાની રહેશે. આ સાથે શ્વાન હોય તેવા ઘરની બહાર બારકોડ લગાવવાનું પણ AMCનું આયોજન છે.

અહીં નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં 2019માં થયેલી વસ્તી ગણતરી મુજબ અંદાજે 2.30 લાખ શ્વાન હતા. શહેરને હડકવા મુક્ત બનાવવા માટે દર વર્ષે શ્વાનને રસી આપવી પડે. સાથે જ શ્વાનને RFID ચીપ પણ લગાવાશે. આ માટે મ્યુનિ. 1.80 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે અને ટેન્ડર પણ બહાર પાડી દીધા છે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *