લાલ કીડીની ચટણીએ મળ્યો GI ટેગ | Red Ant Chutney got GI Tag | Great 1

Spread the love

લાલ કીડીની ચટણી જેને વિશ્વભરમાં મળી આગવી ઓળખ, મળ્યો અનોખા સ્વાદને લઇ GI Tag

Red Ant Chutney got GI Tag

લાલ કીડીની ચટણીનું નામ સાંભળીને ઘણા લોકોને નવાઈ લાગતી હશે. કીડીઓની આ ચટણીને GI ટેગ મળતા હાલ તે ખુબ ચર્ચામાં આવી છે.

લાલ કીડીની ચટણીએ મળ્યો GI ટેગ
ઓડિશાના મયૂરભંજ જિલ્લાના આદિવાસી ખુબ જ પસંદ કરે છે લાલ કીડીની ચટણી
લાલ કિડીઓ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાની માન્યતા

લાલ કીડીની ચટણી
લાલ કીડીની ચટણી
લાલ કીડીની ચટણી

અત્યારે લાલ કીડીઓની ચર્ચા ખુબ જ થઈ રહી છે. તેનું કારણ એ છે કે તેને GI ટેગ મળ્યું છે. ભારતના ઘણા એવા રાજ્યો છે કે જ્યાં લાલ કીડીને ખુબ જ ઉત્સાહ સાથે ખાવામાં આવે છે. આ લાલ કીડી પોતાના સ્વાદને લઈને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. ઓડિશાની આ લાલ કીડીની ચટણી ખુબ જ ફેમસ છે. જેને લાલ કીડીમાંથી બનાવવામાં આવે છે. આ ચટણીની સિમિલિપાલ ચટણી પણ કહેવામાં આવે છે. ઓડિશાના મયૂરભંજ જિલ્લાના આદિવાસી તેને ખુબ જ પસંદ કરે છે અને આ તેમનું પારંપરિક ભોજન પણ છે. આ લાલ કિડી સિમિલિપાલ જંગલ અને મયૂરભંજના જંગલોમાં જોવા મળે છે. કહેવામાં આવે છે કે લાલ કિડીઓ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે.

અરે બાપ રે! ભારતના આ જિલ્લામાં ખૂબ ચટાકા સાથે ખાય છે લાલ-કિડીની ચટણી!
લાલ કીડીની ચટણીનું નામ સાંભળીને ઘણા લોકોને નવાઈ લાગતી હશે પણ આ હકિકત છે. કારણ કે આ ચટણી માત્ર ઓડિશામાં જ નહીં પણ ઝારખંડ અને છત્તીસગઢના આદિવાસીઓમાં પણ ખૂબ પ્રખ્યાત છે. તેને જિઓગ્રાફિકલ ઈંડિકેશન એટલે કે તેને GI ટેગ મળ્યો છે.

જાણો શું છે તેના ફાયદા
કીડીઓની આ ચટણીમાં ભરપૂર માત્રામાં કૈલ્શિયમ, જિંક, પ્રોટીન, આયરન અને વિટામિન બી-12 હોય છે. જેથી તે સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી માનવામાં આવે છે. આ કીડીઓમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ ખુબ જ સારી માત્રામાં હોય છે. અહિંયાના લોકો માને છે કે કીડીઓ ખાવાથી મગજ અને નર્વસ સિસ્ટમનો વિકાસ થાય છે. આ સાથે જ ખાંસી, ફ્લૂ અને શરદીમાં પણ આ ચટણી ખૂબ જ લાભદાયક છે. લોકોનું માનવું છે કે પોષક તત્વોથી ભરપૂર આ ચટણી થાકને પણ ઓછો કરે છે.

આ ચટણી કેવી રીતે બને છે?
કીડીઓની આ ચટણી ખૂબ જ મસાલેદાર અને ચટપટી હોય છે. આ ચટણીને ખાંડણીમાં નાખીને બનાવવામાં આવે છે…આ ચટણીને બનાવવામાં કીડીના ઈંડાનો પણ ઉપયોગ કરવામાં આવે છે.. ચટણી બનાવવા માટે પહેલા કીડીઓને લાવવામાં આવે છે. જે બાદ તેને સાફ કરવામાં આવે છે. જે બાદ કીડીને સુકવીને તેને પીસવામાં આવે છે. જેમાં મીઠું, મરચું, લસણ અને આદુ નાખવામાં આવે છે. જેથી તેનો સ્વાદ ચારગણો વધી જાય છે.

link 1

link 2


Spread the love

Related Posts

Shaheed Diwas 2024 :23 માર્ચે કેમ મનાવાય છે શહિદ દિવસ? અને શું છે તેનું મહત્વ, SPECIAL STORY 1

Spread the love

Spread the loveShaheed Diwas 2024 :ત્રણ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે, ભારત દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસની ઉજવણી કરવામાં છે Shaheed Diwas 2024 :દેશની આઝાદી માટે અનેક બહાદુર જવાનો…


Spread the love

Ahmedabad News :ફ્લેટમાં ભીષણ આગ લાગતા ફાયરની 9 ગાડી દોડી ગઈ, 41 વાહન બળીને ખાખ | Breaking News 1

Spread the love

Spread the loveAhmedabad News :અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્શન ફ્લેટના પાર્કિંગમાં મોડીરાત્રે આગ લાગી હતી Ahmedabad News :અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્શન…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *