Ayodhya: રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાથી આ 57 દેશોને લાગ્યા મરચાં, કહ્યું – પહેલાથી જ તોડી પાડવામાં
નવી દિલ્હીઃ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ અને રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાથી એક-બે નહીં પરંતુ સમગ્ર 57 મુસ્લિમ દેશો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મુસ્લિમ દેશોનું ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાથી ગુસ્સે થયું છે અને રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની નિંદા કરતું જાહેર નિવેદન બહાર પાડ્યું છે.

IOC એટલે કે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન એ અયોધ્યા રામ મંદિર સમારોહ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તે અયોધ્યામાં પહેલાથી જ તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદની જગ્યાએ ‘રામ મંદિર’ના નિર્માણ અને ઉદ્ઘાટનની નિંદા કરે છે.
Ayodhya Ram Mandir: 57 દેશોની સદસ્યતા ધરાવતું સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશને અયોધ્યા રામ મંદિર સમારોહને લઈને નિંદા કરી છે. તેમણે કહ્યું કે, અયોધ્યામાં પહેલાથી જ તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદની જગ્યાએ ‘રામ મંદિર’ના નિર્માણ કરવામાં આવ્યું છે.
ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનના મહાસચિવે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને ઉદ્ઘાટન પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સત્તાવાર નિવેદન અનુસાર, ‘ઈસ્લામિક સહકાર સંગઠનના મહાસચિવે અયોધ્યામાં પહેલાથી જ બનેલી બાબરી મસ્જિદને તોડીને તાજેતરમાં બનેલા રામ મંદિરના નિર્માણ અને ઉદ્ઘાટન પર ચિંતા વ્યક્ત કરી હતી. જનરલ સચિવાલય તેના અગાઉના સત્રોમાં વિદેશ મંત્રી પરિષદ દ્વારા વ્યક્ત કરાયેલ OIC સ્થિતિને અનુરૂપ આ ક્રિયાઓની નિંદા કરે છે. તેનો ઉદ્દેશ્ય બાબરી મસ્જિદ જેવા ઇસ્લામિક સ્થળોને નષ્ટ કરવાનો છે, જે તે જગ્યાએ પાંચ સદીઓથી બાબરી મસ્જિદ તરીકે ઉભી હતી.
આ સંગઠન ભારત વિરોધી?
રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા : ઉલ્લેખ કરવો જરૂરી છે કે, આ ઈસ્લામિક કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન એ જ છે જેણે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને વારંવાર સમર્થન આપ્યું છે અને ઘણી વખત ભારત વિરુદ્ધ નિવેદનો આપ્યા છે. પાકિસ્તાન તેનું સક્રિય સભ્ય છે. પાકિસ્તાન શરૂઆતથી જ કાશ્મીર મુદ્દા માટે OICના પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યું છે અને તેણે કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવા વિરુદ્ધ ઠરાવ પણ પસાર કર્યો હતો.
what oic islamic cooperation organization general secretariat said on opening of ayodhya ram mandir ramlala
PM મોદીએ સોમવારે મંદિરનું ઉદ્ઘાટન કર્યું
રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા : જણાવી દઈએ કે, સોમવારે એટલે કે 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું અને દિવ્ય ગર્ભગૃહમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ સોમવારે રામ મંદિરના દરવાજા સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યા હતા. પહેલા દિવસે એટલે કે મંગળવારે 5 લાખથી વધુ રામ ભક્તોએ રામલલાના દર્શન કર્યા હતા. જો કે રામ ભક્તોની ભીડને કારણે સુરક્ષા જવાનોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે પણ એટલે કે બુધવારે રામ મંદિર પરિસરમાં રામભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જોકે, રામભક્તોની ભીડને જોતા રામ લલ્લાના દર્શનનો સમય રાત્રે 10 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે.
આ IOC શું છે?
IOC એટલે કે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન એ મુસ્લિમ દેશોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે. મુસ્લિમ વિશ્વના દેશોનો સંયુક્ત અવાજ ગણાતા આ સંગઠનનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય શાંતિ અને સૌહાર્દ જાળવીને મુસ્લિમ વિશ્વના હિતોનું રક્ષણ કરવાનો છે. મુસ્લિમ દેશોના આ સંગઠનની સ્થાપના 1969માં થઈ હતી. તેની પાછળનું કારણ 21 ઓગસ્ટ 1969ની ઘટના હતી, જેમાં જેરુસલેમની અલ અક્સા મસ્જિદને આગ લગાડવામાં આવી હતી. જેરુસલેમના પૂર્વ મુફ્તી અમીન અલ-હુસૈનીએ આ અગ્નિદાહને યહૂદીઓનો ગુનો ગણાવ્યો હતો અને વિશ્વના મુસ્લિમ દેશોના વડાઓને એક કોન્ફરન્સ બોલાવવા કહ્યું હતું. તેના સભ્ય દેશોની સંખ્યા 57 છે.