ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે જૂનાગઢના પ્રવાસે હતા.. જ્યા તેઓએ પ્રથમ જાહેર સભા સંબોધ્યા બાદ શહેરના પાયાના પ્રશ્નો અંગે પદયાત્રા સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી આવેદન પત્ર પાઠવ્યું હતું..
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત શક્તિ સિંહ ગોહિલ આજ જૂનાગઢના પ્રવાસે આવ્યા હતા.. અહીં શહેરના ઝાંસીની રાણી સ્થળ ખાતે સભાને સંબોધન કર્યું હતું.. તેઓએ સંબોધનમા ઉલ્લેખ કર્યો હતો કે જૂનાગઢની ભુમીને તેઓ નમન કરે છે..લોક પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાનો આજનો તેમનો કાર્યક્રમ છે..તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકારમાં સામાન્ય લોકોની ચિંતા થતી હતી..જૂનાગઢ પંથકમા પાક વિમાના નામે પુરી માહિતી અપાતી નથી..મોંઘવારી બેફામ બની છે હાલના સમયમાં..આંતર રાષ્ટ્રીય બજારમાં ગેસની કિંમત ઘટી છતા ગેસના બાટલાની કિંમતમા વધારો થયો..કાળા ધન અને 15 લાખ બેન્ક ખાતામા જમા કરાવવાના વાયદાઓનું કાંઈ જ ન થયું..હું હિન્દુ છું, પરમ તત્વ એક છે..
ખાસ વાત તેઓએ એ જણાવી હતી કે મોક્ષ પ્રાપ્તિ માટે ભગવાનની પ્રાર્થના હોય,, મત માટે ન હોય અને કામના નામે મત હોય રામના નામે ન હોય.. સંબોધન પૂર્ણ કર્યા બાદ ઝાંસીની રાણી સ્થળ થી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા સ્વરૂપે તેઓ કાર્યકર્તાઓ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.. જ્યા શહેરના પાયાના પ્રશ્નો બાબતે આવેદન આપી રજુઆત કરાઇ હતી..
સભા સ્થળે પહોંચ્યા પૂર્વે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું સક્કરબાગ નજીક કાર્યકર્તાઓ દ્વારા ફૂલ હાર સાથે સ્વાગત કરાયું હતું.. આ તકે આગામી 22 જાન્યુઆરીના અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે કોંગ્રેસના સ્ટેન્ડ અંગે નિવેદન આપ્યું હતું..
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે વહેલી તકે જૂનાગઢ સિટી કોંગ્રેસ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું..આજના સમગ્ર કાર્યક્રમ દરમિયાન અનેક કોંગ્રેસના નેતાઓ અને સામાન્ય કાર્યકરો હાજર રહ્યા હતા..