ચારણ-આહીર જ્ઞાતિ વિવાદ, હકાભા ગઢવીએ કર્યો અન્ન-જળનો ત્યાગ, Breaking News 1

Spread the love

આહીર સમાજ અને ચારણ સમાજ વિશે મહા વિવાદ શરૂ થયો છે, તળાજામાં આહિર જ્ઞાતિના સમુહ લગ્નમાં ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણોની બહેન દિકરીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી

ગુજરાતમાં હાલ એક મહાવિવાદ શરૂ થયો છે. આહીર સમાજ અને ચારણ સમાજ વિશે મહા વિવાદ શરૂ થયો છે. તળાજામાં આહિર જ્ઞાતિના સમુહ લગ્નમાં ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણોની બહેન દિકરીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી. જેના કારણે હાલ તો બંન્ને સમાજો વચ્ચે વૈમનસ્વ ફેલાયું હતું. 

આહીર

ચારણો દ્વારા સમાજને લૂંટાતા હોવાના ગંભીર આક્ષેપ

આહીર અગ્રણી દ્વારા ચારણ સમાજ દ્વારા ખોટા ખોટા વખાણ કરીને સમાજને લૂંટી લેતા હોવાનો તથા સમાજમાં તડા પડાવતા હોવાનો દાવો કર્યો હતો. ચારણોથી હંમેશા દુર રહેવું નહી તો તમે ભિખારી થઇ જશો તેવું નિવેદન આપ્યું હતું. ચારણને ઘરે પણ ન ઘુસવા દેવા જોઇએ તેવો દાવો કર્યો હતો. આ ઉપરાંત ચારણોના માતા માં સોનબાઇ માં વિશે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. આહીર સમાજના પુજ્ય દેવાયત બોદલના દિકરાની હત્યા પણ ચારણોએ કરી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. જેના કારણે હાલ ચારણ સમાજ અને કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

હકાભાએ તળાજાનો ત્યાગ કર્યો

હવે આ અંગે હકાભા ગઢવીએ પ્રતિક્રિયા આપી હતી. હકાભા ગઢવીએ જણાવ્યું કે, ચારણ તરીકે હું આજથી તળાજાના અન્ન જળનો ત્યાગ કરૂ છું. ક્યારે પણ તળાજાનું પાણી પણ નહી પીઉ અને ક્યારે પણ તળાજામાં કાર્યક્રમ નહી કરૂ તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું કે, આહિર જ્ઞાતિના સમુહ લગ્ન હતા તેમાં ગીગા ભમ્મર નામનો વ્યક્તિ મનફાવે તેવું નિવેદન આપી રહ્યા છે. તો કોઇ આહિર જ્ઞાતિના વ્યક્તિએ તેને અટકાવ્યા કેમ નહી તેવો પણ સવાલ ઉઠાવ્યો હતો. હાલ તો સમગ્ર મામલો ઉકળતા ચરૂ જેવો છે. 

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *