Top News :છોટાઉદેપુર નગરમાં વોર્ડ નંબર 5 માં રોડ હોવા છતાં રીપેરીંગની જગ્યાએ રોડ ખોદી કાઢવામાં આવ્યો ટીકાને પાત્ર પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ
Top News :છોટાઉદેપુર નગરમાં આવેલ વોર્ડ નંબર 5 માં હાલ કસ્બા 4 રસ્તાથી જેલ સુધીનો આર સી સી રોડ ખોદવામાં આવી રહ્યો છે ઉલ્લેખનીય છે કે રોડ સારી હાલતમાં હોય છતાં પણ તેને રિપેર કર્યા વગર ખોદી કાઢવાનો કામ શરૂ કરવામાં આવ્યું છે જે બાબતે નગરમાં તરહ તરહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે રોડ ઉપર રીસરફેસિંગનું કામ કરવાનું હોય તેની જગ્યાએ આખો રોડ ખોદી કાઢવામાં આવ્યો છે. જ્યારે અવર જવર કરવાની પણ પ્રજાને તકલીફ પડી રહી છે. રિપેરીંગનું કકમ હોય અને રોડ ખોદી કાઢ્યો તે બાબતે નગરમાં તરહ તરહની ચર્ચાઓ ચાલી રહી છે.
Top News :જ્યારે ગામની એક વ્યક્તિએ સદર બાબતે ટીકાને પાત્ર એક પોસ્ટ પણ સોશિયલ મીડિયા ઉપર મૂકી હતી. જેમાં લખ્યું છે કે. છોટાઉદેપુર નગરમાં વોર્ડ ન 5 માં વિકાસનું કામ ચાલે છે. રોડ હોવા છતાં રોડ ખોદીને બનાવવાનું કામ ચાલે છે. આમાં કોનું ભલું થશે પબ્લિક, કોન્ટ્રાકટર કે પછી નેતાનું?

Top News :અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં ચોમાસા પછી તૂટી ગયેલા રસ્તાઓનું રિસર્ફેસિંગનું કામ કરવા સરકાર દ્વારા 60 લાખની ગ્રાન્ટ પાલિકાને આપવામાં આવી હતી જે કામમાં નગરના તૂટેલા ડેમેજ થયેલા રસ્તાઓનું રીપેરીંગ કામ કરવાનું હોય અને તમામ રસ્તાઓને ફરીથી વ્યવસ્થિત બનાવવાના હોય પરંતુ આ રસ્તાની ગ્રાન્ટ રીપેરીંગ ની આવી હોય તેની જગ્યાએ વોર્ડ નંબર 5માં સારા રસ્ત ને તોડીને નવાજ રસ્તા બનાવી દેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે બાબતે ની તરહ તરહની ચર્ચાઓએ નગરમાં જોર પકડ્યું છે. હાલ પ્રજાને અવરજવર કરવામાં પણ ભારે તકલીફ પડી રહી છે જ્યારે સદર કામગીરી બાબતે સરકારના નાણાનો દુરુપયોગ થતો હોય તેમ જણાય રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર નગરમાં આવેલ વોર્ડ નંબર પાંચમાં જે રોડનું કામ હાલ ચાલી રહ્યું છે. જે રસ્તો સન 2014 માં બનાવ્યો હતો. જ્યારે 2021 માં પણ મંજુર થયો પરંતુ અમુક કારણો સર કામ થઈ શક્યું નહિ. જ્યારે 2023 માં ફરી કામ હાથમાં લેવામાં આવ્યું છે. જેનું કામ હાલમાં ચાલી રહ્યું છે. રીપેરીંગના કામમાં નવો રોડ બનાવો એ ક્યાં સુધી વ્યાજબી આ બાબતે પ્રજાને કોણ જવાબ આપશે નેતા કોન્ટ્રાક્ટર કે પછી પાલિકા પ્રજામાં પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ અંગે છોટાઉદેપુર નગરપાલિકાના ઇજનેર ફારાઝ ભાઈનો ફોન ઉપર કરવાનો મીડિયાએ ઘણો પ્રયત્ન કર્યો સંપર્ક થઈ શક્યો ન હતો જેથી વધુ વિગત જાણવા મળી ન હતી.
છોટાઉદેપુર નગરના નાગરિક આસીફભાઈ સૈયદ એ જણાવ્યું હતું કે વોર્ડ નંબર પાંચમાં જે કસબા ચાર રસ્તાથી સબ જેલ સુધીનો રોડ બનાવવામાં આવી રહ્યો છે તેમાં રિસરફેસિંગ નું કામ હોય અને રોડ નવો બનાવે છે જ્યારે રોડની જરૂરત હતી નહીં રોડ સારો હતો તો બનાવવાની શું જરૂર છે ખાલી રીપેરીંગ કામ જ કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.