TOP News :અરવિંદ વેગડાએ લોકસભા ચૂંટણી માટે ભાજપ પાસે ટિકિટ માંગી, Breaking News 1

Spread the love

TOP News :લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા 26 લોકસભા બેઠકો પર સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે

TOP News :લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા 26 લોકસભા બેઠકો પર સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી. જેમાં ખાનપુર કાર્યાલય પર સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

TOP News :

TOP News :40 થી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષક તરીકે સાંસદ રમીલાબેન બારા, અભિષેક મેડા, ગુમાનસિંહ ચૌહાણની નિમણૂંક કરવામાં આવી છે. પશ્ચિમ બેઠક પર ર્ડાં. કિરીટ સોલંકી, દર્શના વાઘેલા, દીનેશ મકવાણા, પૂર્વ મેયર કિરીટ પરમાર, ર્ડાક્ટર સેલના સભ્ય કીર્તિ વડાલીયા, પૂર્વ મંત્રી ગિરીશ પરમાર, પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલા, પૂર્વ પ્રદેશ મંત્રી SC નરેશ ચાવડા, કાઉન્સિલર ગીતાબેન સોલંકી, શહેર SC મોચરા પ્રમુખ ભદ્રેશ મકવાણા, પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા, પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા તેમજ શહેર ભાજપ મંત્રી વિભૂતિ અમીને દાવેદારી નોંધાવી હતી. 

પાર્ટી જે નિર્ણય લેશે એની સાથે હું રહીશ :અરવિંદ વેગડા

આજે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે આજે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પશ્ચિમ લોકસભા બેઠક માટે સિનીયર ભાજપનાં કાર્યકરોએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ગાયક કલાકાર અરવિંદ વેગડાએ પણ પશ્ચિમ લોકસભા બેઠક માટે દાવેદારી કરી છે. આ બાબતે અરવિંદ વેગડાએ નિવેદન આપ્યું હતું કે, પાર્ટી જે નિર્ણય કરશે એની સાથે હું રહીશ. તેમજ સમાજ પ્રત્યે અને લોકોને ખબર પડે કે આ વ્યક્તિ ચૂંટણી લડવા સક્ષમ છે.

પાર્ટીનાં દરેક નેતા સક્ષમ છે. પણ પાર્ટી જે નક્કી કરશે તે યોગ્ય નિર્ણય રહેશે. પાર્ટી મને મોકો આપશે તો હું પશ્ચિમ લોકસભા માટે સારૂ કામ કરીશ. મને મોકો મળે તો લોકો માટે અને સમાજ માટે કામ કરીશ. મને કોઈ આશા નથી અને આશા રાખ્યા વગર અહીંયા આવ્યો છું. પાર્ટી દરેક જગ્યા પર કોઈ વ્યક્તિને મુકતા હોય છે. કોઈ નેતા કે વ્યક્તિને 3 ટર્મ સુધી મુકે તો એ વિસ્તાર માટે યોગ્ય હોય તો જ મુકતા હશે. વિસ્તારમાં કંઈ ખૂટતું હોય એવું નથી. પણ વિસ્તારનાં વિકાસને વધુ આગળ લઈ જવામાં કામ કરવા સક્ષમ હોય તો ટિકિટ મળવી જોઈએ.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *