SurendraNagar News :સુરેન્દ્ર નગરમાં મોટી દુર્ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના બુબવાણામાં મજૂરો ભરેલા ટ્રેક્ટરને વીજ વાયર સ્પર્શી ગયો હતો.
SurendraNagar News :સુરેન્દ્ર નગરમાં મોટી દુર્ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના બુબવાણામાં મજૂરો ભરેલા ટ્રેક્ટરને વીજ વાયર સ્પર્શી ગયો હતો. જેમાં મધ્ય પ્રદેશના ત્રણ મજૂરોના મોત નિપજ્યા છે. તો ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર 6 મજૂરો દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના બુબવાણા પાસે શ્રમિકો ભરીને જઈ રહેલ ટ્રેકટરની ટ્રોલી વીજ વાયરને અડી જતા ૩ પરપ્રાંતીય શ્રમિકોના ઘટના સ્થળે મોત નિપજયા છે. તો અન્ય 6 શ્રમિકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ત્રણેય મૃતક શ્રમિકોના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ દસાડા પોલીસ કાફલો સહિત મામલતદાર, પ્રાંત અધિકારીની ટાઈમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.