NFI Special News :ગુજરાતનો વિકાસ ફક્ત શહેર સુધી જ….? પાણી માટે પણ વલખા મારે છે આ ગામ….., Breaking News 1

Spread the love

NIF Special News :ક્યારે જાગશે સરકાર….! શું સરકારને નથી દેખાતી લોકોની હેરાનગતિ ? નલ સે જલ યોજના ફક્ત નામની જ છે કે શું ? લોકો પાણી માટે પણ પૈસા ખર્ચી ટેન્કર મંગાવે છે…..

NIF Special News :સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ચોટીલાના મુળીના ભાગોમાં આવેલ પાંચાળ વિસ્તાર એટલે અધોગતિથી ભરપૂર વિસ્તાર કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી ત્યારે ભાજપ સરકાર ગુજરાત ઉપર શાસનના ૩૦ વર્ષ પુર્ણ કરવા જ‌ઈ રહી છે ત્યારે આ વિસ્તારને જાણીજોઈને પછાત રાખવાનું એક રાજકીય ષડયંત્ર રચવામાં આવેલ છે.

Special

પંચાળ પંથકમાં કોઈ ખેડૂતોને નર્મદાના નીર નથી મળતા કોઈ કેનાલ નહીં કે કોઈ તળાવો ચેકડેમ ભરવામાં આવતા નથી કે કોઈ નવા ચેકડેમ તળાવ બનાવવામાં પણ છેલ્લા ૩૦ વર્ષથી કામ કરવામાં આવેલ નથી. ફકત વરસાદ આધારિત ખેતી કરવામાં આવે છે અને દિનપ્રતિદિન ખેતી છોડી ખેડૂતો શહેર ભણી કામ અર્થે ચાલી જાય છે એ જ રીતે પશુપાલન માટે વિકટ પરિસ્થિતિ ઉભી થતા પશુપાલકો પણ અન્ય જિલ્લાઓમા ચાલ્યા જાય છે.

NIF Special News :ગુજરાત સરકાર પીવાના પાણી માટે પણ આયોજન કરી શકેલ નથી

હજુ સુધી ગુજરાત સરકાર પીવાના પાણી માટે પણ આયોજન કરી શકેલ નથી જેમાં ચોટીલા થાનગઢ મુળીના અનેક ગામોમાં હજુ નલ સે જલ યોજના હેઠળ પણ પાણી પીવા માટે આપવામાં સરકાર નિષ્ફળ નિવડી છે મુળીના કુંતલપુર ગામે આજની તારીખ પણ ટેન્કરો દ્વારા પાણી આપવુ પડે છે તેવી ગંભીર પરિસ્થિતિ ઉભી થતા પાંચાળની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ખેડૂતોના પાકવિમા બાબતે હાઈકોર્ટના હુકમ બાદ પણ એક રૂપિયો પાકવિમો ચુકવવામાં આવેલ નથી આ પંથકમાં એક હેકટર દિઠ ૬૮૦૦૦ રૂપિયા પાકવિમો ચુકવવા પાત્ર હોય તેમ છતાં સરકાર વિમા કંપનીઓની તરફદારી કરી રહી છે.

Special

આજદિન સુધી કોઈ નાણા ખેડૂતોને ચુકવવામાં આવેલ નથી જયારે જયારે ચુંટણીઓ આવે છે ત્યારે ખેડૂતોને છેતરામણી જાહેરાત કરવામાં આવે છે પરંતુ આ વિસ્તારમાં મોટાભાગે ઓ.બી.સી. વસ્તી હોય એ માટે અન્યાય કરવામાં આ સરકાર કોઈ કસર છોડતી નથી સ્પષ્ટ લોકોનું માનવું છે જયારે સુરેન્દ્રનગર શહેરને પાણીની જરૂરીયાત ઉભી થ‌ઈ ત્યારે આ વિસ્તારમા અસંખ્ય બોર પાડી મોટરો મુકી પાઈપલાઈન દ્વારા પાણી લ‌ઈ જવામાં આવેલ અને પંચાળ વિસ્તારના ભુતળ ખાલી કરવામાં આવેલા ૧૯૯૮-૨૦૦૪ સુધી અને જયારે નર્મદાના નીર સુરેન્દ્રનગર સુધી પહોંચતા આ પંચાળ પંથકને અન્યાય કરી કોઈ નર્મદાના નીર આજદિન સુધી આપવામાં આવેલ નથી. ખરેખર પહેલો હક્ક અને પ્રાથમિકતા આ વિસ્તારના ભુતળ ખાલી કરવામાં આવેલા તેનો હોય છે તેમ છતાં આજદિન સુધી જાણી જોઈને વંચિત રાખવામાં આવેલ છે આ કમનશિબી આ પ્રદેશના લોકોની છે.

પંચાળ પંથક ખનીજ સંપદાઓથી ભરપૂર છે સરકારને દર વર્ષે ૨૦૦ કરોડની રોયલ્ટી આ ખનીજની મળે છે ત્યારે કાર્બોસેલ કોલસો ફાયરકલે સફેદમાટી બ્લેકટ્રેપ રેતી સિલીકાસેન્ડ સહિત અનેક ખનીજ મળી આવે છે અને ગેરકાયદેસર ખોદકામ મોટા પ્રમાણમા થાય છે ખનીજ માફીયાઓ બેફામ રોકટોક વગર ખાણો રાત દિવસ ચલાવી રહ્યા છે તંત્ર પણ અજાણ નથી કારણ કે કરોડો રૂપિયાનો માસિક હપ્તો ગાંધીનગર સુધી પહોંચે છે તેના કારણે તંત્ર હાથ ઉપર હાથ રાખી તમાશો જોઈ રહ્યા છે.

NIF Special News :દર વર્ષે ૧૦૦ જેટલા કોલસાની ગેરકાયદેસર ખાણોમાં ભેખડ ધસી પડવાથી મોતને ભેટે છે

કંઈ કરી શકે તેમ નથી આ તમામ ગેરકાયદેસર ધંધો રાજકીય આગેવાનો સરકારી અધિકારીઓના ભાગમાં ચાલે છે માટે કાયદાકીય પગલાં ભરવામાં આવતા નથી અને ખેડૂતોના દિકરા એવા નવલોહિયા યૂવાનો દર વર્ષે ૧૦૦ જેટલા કોલસાની ગેરકાયદેસર ખાણોમાં ભેખડ ધસી પડવાથી મોતને ભેટે છે પરંતુ તંત્રમા કોઈ આકસ્મિક નોંધ પણ થતી નથી અને તેઓના બાળકો બાપની છત્રછાયા ગુમાવી બેઠા છે તેઓનું કોણ? આ પ્રશ્ન કાયમ પાંચાળના લોકો કરતાં હોય છે.

NIF Special News :અંદાજે ૨૦૦૦ જેટલી કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે

અંદાજે ૨૦૦૦ જેટલી કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે જિલેટીન વિસ્ફોટના ધડાકાથી ધરતી ધણધણી ઉઠે છે ભુકંપના ઝટકા સમાન ધડાકા અવિરત ચાલુ છે ૩૦૦૦ ઉપરાંત ડમ્પરો વહન માટે ચાલે છે પરંતુ અહીંયા કાયદા ખનીજ માફીયાઓના ચાલે છે નહીં કે ગુજરાત સરકાર ના! અબજો રૂપિયાનું ખનીજ ગેરકાયદેસર ખનન વહનથી બહાર ધકેલાય રહ્યા છે પંચાળની ધરતી સુરંગો સમાન થ‌ઈ ચુકી છે પાણીના તળ ઉંડા ચાલ્યા ગયા છે કુદરતી વરસાદી વહેણ ફંટાઈ ચુકયા છે ખેડૂતોની ખેતી ઉપર ઘાતક રીતે નુકસાન કરી રહ્યા છે તેમ છતાં તમામ ચુપ મુદ્રામાં બેઠા છે અવાજ ઉઠાવનાર કોઈ છે નહીં…. !

વેરવિખેર કરનારા લોકો ધરતી ઉપર અટ્ટહાસ્ય કરે છે

ત્યારે પંચાળની પવિત્ર ભુમીને વેરવિખેર કરનારા લોકો ધરતી ઉપર અટ્ટહાસ્ય કરતા જોવા મળે છે ત્યારે દુઃખ થાય છે માટે આ ધરતીનું ધાવણ પીધું છે તેના નાતે હું રામકુભાઇ કરપડા અવાજ ઉઠાવતા જરા પણ ખચકાટ અનુભવતો નથી અને છેલ્લા શ્વાસ સુધી લડતો રહીશ ધરતીમાતા માટે લડતો રહીશ ગૌમાતા માટે લડતો રહીશ ખેડૂતો માટે લડતો રહીશ મજુરો માટે લડતો રહીશ. પાંચાળની પવિત્ર ધરતીમાતા માટે ઐતિહાસિક ધરોહર સાથે રક્ષિત સ્મારકો માટે લડતો રહીશ આ જુસ્સો મને પાંચાળની ધરતીના ધાવણમાંથી મળેલો છે માટે સમગ્ર પ્રદેશના લોકો એકસાથે મળીને મજબૂત રીતે લડવાનો અને અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે તો ઉઠો અને અવાજ ઉઠાવો!!!

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *