Rajkot News :ઝઘડો થતા લિવ-ઈન પાર્ટનરે પ્રેમિકાની ઓશિકાથી હત્યા કરી | Breaking News 1

Spread the love

Rajkot News :રાજકોટમાં આવેલા સાધુવાસવાણી રોડ પર મનપાના ક્વાર્ટરમાં લીવ ઈન રિલેશનશીપમાં રહેતા એક મહિલાની હત્યા કરતા ચકચાર મચી ગઈ

Rajkot News :રાજકોટમાં આવેલા સાધુવાસવાણી રોડ પર મનપાના ક્વાર્ટરમાં લીવ ઈન રિલેશનશીપમાં રહેતા એક મહિલાની હત્યા કરતા ચકચાર મચી ગઈ. ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસનો કાફળો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતક મહિલાના પરિજનોને જાણ કરી હતી. પોલીસની માહિતી મુજબ મહિલાના લિવ ઈન પાર્ટનરે જ ઓશિકાથી મોઢું દબાવીને હત્યા કરી નાખી હતી. આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Rajkot News

વિગતો મુજબ, ઈલાબેન ઉર્ફે કિરણ સોલંકી નામની મહિલાનીના થોરાળા વિસ્તારના યુવક સાથે લગ્ન થયા હતા. જોકે પતિનું બે વર્ષ પહેલા અવસાન થઈ ગયું હતું. બાદમાં ઈલાબેનને સંજય ગોસાઈ નામના યુવક સાથે પ્રેમ થતા તેઓ મૈત્રી કરાર કરીને પોતાના પુત્રને લઈને ચાર મહિનાથી તેની સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેતા જતા રહ્યા હતા. જોકે તેમની આ હત્યા કરેલી લાશ મળી આવતા પોલીસે ફિંગરપ્રિન્ટ નિષ્ણાંત, FSL સ્ટાફ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં ઈલાબેનને ઓશિકાથી મોઢા પર ડૂમો આપીને હત્યા કરવામાં આવી હતી. 

ઘટના પર રાજકોટ પશ્ચિમના ACP રાધિકા ભારાઈએ જણાવ્યું કે, ઈલાબેન નામના મહિલાની RMCના ક્વાર્ટરમાં હત્યા કરવામાં આવી છે, તેઓ સંજય ગોસાઈ નામના યુવક સાથે મૈત્રી કરારમાં રહેતા હતા. બંને વચ્ચે ઘણા સમયથી ખટરાગ ચાલતો હતો અને ઘટનાના દિવસે વાસણ ધોવા મામલે તકરાર થતા આરોપી સંજયે ઓશિકાથી મોઢું દબાવીને ઈલાબેનની હત્યા કરી નાખી. આરોપી સંજય એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે કામ કરે છે. હાલમાં તેને પકડવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *