Rajkot Crime News :સાળાએ સમાધાન માટે બોલાવીને બનેવીને મારી નાંખ્યો | Breaking News 1

Spread the love

Rajkot Crime News :જામનગરના સુનિલ જાદવ નામના યુવકને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી, જેમાં સારવાર દરમિયાન સુનિલ જાદવનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો

Rajkot Crime News :રાજકોટમાં ફરી એક વખત પ્રેમનો કરુણ અંજામ સામે આવ્યો છે. જામનગરના સુનીલ જાદવને તેના સાળાએ સમાધાન માટે બોલાવી ઢોર માર માર્યો હતો. જેમાં સુનિલનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Rajkot Crime

રાજકોટના કુવાડવા રોડ પર પાંચ દિવસ પહેલા જામનગરના સુનિલ જાદવ નામના યુવકને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં સારવાર દરમિયાન સુનિલ જાદવનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસ તપાસમાં મૃતક સુનિલ જાદવને તેના સાળા રવિ પરમાર અને તેના મિત્ર દ્વારા જ ઢોર માર મારવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં સુનિલ જળવને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે તેની સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત થયું હતું. પોલીસે આરોપી રવિ સામે હત્યાની કલમો ઉમેરી તપાસ શરૂ કરી છે.

મૃતક સુનિલ જાદવના પરિવારજનોએ કહ્યું હતું કે, સુનિલનું સાળા રવિએ 12 તારીખે સમાધાનના નામે મળવા માટે બોલાવ્યો હતો. કુવાડવા રોડ પર ટાયરના ડેલામાં લઇ જઇ રવિ અને તેની સાથે રહેલા અન્ય એક શખ્સે લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાથી ખાર રાખી રવીએ સગા બનેવી સુનિલ જાદવને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પરિવારજનોએ પોલીસ સમક્ષ આરોપીને તાત્કાલિક અસર થી ધરપકડ કરવાની માંગ કરી છે.

રાજકોટમાં પ્રેમ સબંધનો કરુણ અંજામ સામે આવ્યો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ ક્યાં સુધીમાં હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ કરે છે તે જોવું રહ્યું.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *