News Update :11 વાગ્યાના સુમારે એસટી બસની અડફેટે 10 જેટલી ગાયો અને વછરડાનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયા હતા
News Update :ધોળકા – ખેડા હાઇવે પર સહીજ ગામ નજીક શુક્રવારે રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે એસટી બસની અડફેટે 10 જેટલી ગાયો અને વછરડાનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ધ્રોલ ડેપોની ધ્રોલ – ડુમકા રૂટની એસટી બસ શુક્રવારે રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે ધોળકા – ખેડા હાઇવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે સહીજ ગામ નજીક રોડ પર અચાનક ગાયો આવી જતા આ એસટી બસની અડફેટે ચડી જતા 10 જેટલી ગાયો અને વાછરડાનાં કરુણ મોત નીપજ્યા હતા.

બસના ડ્રાઇવરે બસને કન્ટ્રોલ કરી મુસાફરોનાં જીવ બચાવ્યા હતા. આ બનાવની જાણ થતાં જ ધોળકા રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ધોળકા નગરપાલિકાનાં કાઉન્સિલર સંજયભાઈ પટેલ અને નગરપાલિકાના કર્મચારીઓ જે સી. બી. મશીન અને ટ્રેકટર ટ્રોલી સાથે પહોંચી ગયા હતા અને મૃતદેહોને રોડ પરથી ખસેડી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ ધોળકા પ્રખંડનાં પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમની ટીમના જીવદયાપ્રેમી યુવકો સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રાહતકાર્યમાં જોડાઈને ઉમદા કામગીરી બજાવી હતી. સહીજ ગામના સરપંચ અને ગ્રામજનો પણ સેવાકાર્યમાં જોડાયા હતા.