News Update :અમીરગઢ આબુ હાઈવે લક્ષ્મીપુરા પાટીયા નજીક એક રાહદારીને અજાણા વાહન ચાલકે ટક્કર મારતા રાહદારીનું ઘટના સ્થળે મોત નિપજ્યું
News Update :અમીરગઢ આબુ હાઈવે લક્ષ્મીપુરા પાટીયા નજીક એક રાહદારીને અજાણા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં વાહન ચાલક અકસ્માત સર્જી ત્યાંથી વાહન લઈ નાસી છૂટ્યો હતો અકસ્માતના કારણે રાહદારીનું ગંભીર ઈજાઓથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બનાવના પગલે અમીરગઢ પોલીસ ઘટના સ્થળ પર દોડી પહોંચી આગળની તપાસ હાથ ધરી.

બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં રાત્રિ દરમિયાન નેશનલ હાઇવે પર અમીરગઢ આબુ હાઈવે લક્ષ્મીપુરા પાટીયા નજીક એક વ્યક્તિ રસ્તો ઓળંગી રહ્યો હતો તે સમયે રાજસ્થાન તરફથી પૂર પાટે આવેલ અજાણ્યા વાહન ચાલકે ઇસમ ને ટક્કર મારી હતી જેથી ઈસમ રોડ ઉપર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ત્યારે ઇસમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જોકે અકસ્માત સર્જનાર અજાણ્યો વાહન ચાલક ત્યાંથી વાહન લઈને નાસી છૂટ્યો હતો સમગ્ર બનાવની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ પોલીસ તેમજ l&t વિભાગ ને જાણ કરી હતી અમરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મુર્તક ઈસમને મૃતદેહ પોલીસે અમીરગઢ પીએમ અર્થ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.