Halwad News :કડીયાના પાસે કેનાલ છલકાતા ખેતરોના ઉભા પાકમાં પાણી ફરી વળ્યા, Breaking News 1

Spread the love

Halwad News :જીરાના પાકોમાં નુકસાન જવાની દહેશતથી ખેડૂતો ચિંતિત, કેનાલોની સફાઇ અને રિપેરીંગ કરવા માગણી

Halwad News :હળવદ તાલુકામાંથી પસાર થતી નર્મદા વિભાગની અનેક કેનાલો સફાઈનાં અભાવે છલકાવાની અને નબળા કામને કારણે લીકેજ થતી હોવાના બનાવો વારંવાર બની રહ્યાં છે. આ સમસ્યાને કારણે ગ્રામજનો અને ખેડૂતો ભારે ત્રાસ અનુળબી રહ્યાં છે. કડીયાના ગામ નજીક ડી23 કેનાલ છલકાતા ખેતરોનાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યા હતા.

Halwad

કડીયાના ગામ નજીકથી પસાર થતી ડી23 શાખાની ડીટુ કેનાલ મોડી રાત્રે છલકાઇ જવાથી ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. આ કેનાલની સાફ- સફાઈ તંત્ર દ્વારા કરવામાં નહીં આવતા કેનાલમાં ઉગી ઝાડી- ઝાંખરા ઉગી ગયા છે અને કચરાને કારણે પાણી આગળ નહીં જતા છલકાઈને બહાર આવી ખેતરમાં ફરી વળ્યા હતા.

જેને કારણે ખેડૂતોમાં રોષ પ્રવર્તે છે. ખેતરોમાં જીરું અને ઘઉંના પાકોમાં પાણી ફરી વળતા નુકસાન જવાની પણ દહેશત સેવાઈ રહી છે. તંત્રને અવાર-નવાર રજૂઆતો કરવા છતાં પગલા લેવાતા નથી. કેનાલોની યોગ્ય સફાઈ કરવામાં આવે તથા કેનાલોનું રિપેરીંગ કામ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *