Gujarat Weather :આગામી દિવસોમાં ગુજરાતમાં થશે અંધારપટ્ટ..! ખેડૂતો પર છવાશે ચિંતાના વાદળો, Breaking News 1

Spread the love

Gujarat Weather :ગરમીના દિવસોમાં હવે વરસાદની આગાહી કરવામાં આવી છે, ગુજરાતીઓ માટે માર્ચ મહિનો આકરો બનવાની શક્યતા છે

Gujarat Weather :ગરમીના દિવસોમાં હવે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતીઓ માટે માર્ચ મહિનો આકરો બનવાની શક્યતા છે. માર્ચ મહિનામાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. આવામાં આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. હવામાન નિષ્ણાતે આગામી 48 કલાક ખેડૂતો માટે ચિંતાજનક હોવાનું જણાવ્યું છે. ત્યારે ખેડૂતો પર કાળા વાદળો છવાયા છે.

Gujarat

Gujarat Weather :48 કલાકમાં રાજ્યમાં ભારે પવનની શક્યતા

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારે પવનની શક્યતા છે. ભારે પવનને કારણે ખેતરમાં ઉભો પાક વળી જવાની શક્યતા છે. આ કારણે આંબા ઉપર પણ અસર થવાની શક્યતા છે. આજે ગુજરાતમાં 15-20 km /h ની ઝડપે પવન ફૂંકાશે. તો આવતીકાલે આંચકાનો પવન 45 km/h ની ઝડપે પવન ફૂંકાશે. જેની સૌથી વધુ અસર કચ્છમાં વર્તાશે. ખાસ પવનથી જનધને સાવચેત થવાની જરૂર છે. અને આના કારણે ખેડૂતોને નુકશાન પણ થઈ શકે છે.

વલસાડમાં કમોસમી વરસાદની શક્યતા

તેમણે વધુમાં કહ્યું કે, આવતીકાલે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ, જૂનાગઢ સુરેન્દ્રનગર, આહવા ડાંગ, વલસાડમાં કમોસમી વરસાદની શક્યતા છે. આ દિવસોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. 3 થી 6 માર્ચે રાત્રી દરમિયાન વધુ ઠંડીની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં રાત દરમિયાન તાપમાન 7 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. જ્યારે સવારે પણ 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. 

શિવરાત્રિ નજીક પણ ઠંડા પવન ફૂંકાશે

આગાહીકારે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં શિવરાત્રિ નજીક પણ ઠંડા પવન ફૂંકાશે. 7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે. આ સમયે ઠંડા પવનો ફંકાવાની સાથે વધારા સાથે અંધારિયું વાતાવરણ ઉભું થવાની શક્યતા છે. એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14 થી 20 માર્ચે પણ વાદળવાયુ અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે. 21 માર્ચ બાદ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમી વધશે. વરુણ મંડળના નક્ષત્રમાં આ યોગ બનવાથી અસર ઘણા દિવસો સુધી રહેશે. માર્ચ મહિનામાં અંધારું વાતાવરણ રહેશે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

Gujarat Weather :નુકસાનની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે

વલસાડ જિલ્લામાં વહેલી સવાર થી વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં કમોસમી વરસાદ જોવા મળ્યો કમોસમી વરસાદના કારણે 45 હજાર હેક્ટરથી વધુમાં લેવાતા કેરીના પાકમાં મોટા નુકસાનની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે.  હવામાન વિભાગ દ્વારા રાજ્ય ભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખેડૂતોને બજારમાં યોગ્ય પ્રમાણમાં કેરીનો ભાવ મળશે નહીં

ત્યારે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતળિયાય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના કારણે વલસાડ જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણકે વલસાડ જિલ્લામાં 45 હજાર હેક્ટરથી વધુમાં કેરીનો પાક લેવાય છે. ત્યારે વલસાડ જિલ્લામાં ઠંડી ઓછી પડવાના કારણે આંબાવાડીઓમાં ફ્લાવરીંગ ઓછું થયું હતું. વલસાડ જિલ્લામાં વરસાદ જો વધુ વર્ષે તો આંબા ઉપર લાગેલા ફ્લાવરિંગ ખરી પડવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. સાથે જ આંબાઓ ઉપર ફ્લાવરિંગની જગ્યાએ નવી પીલોવણી આવના કારણે કેરીનો પાક વધુ નહિ થાય. સાથે જ ખેડૂતોને બજારમાં યોગ્ય પ્રમાણમાં કેરીનો ભાવ મળશે નહીં.

LINK 1

LINK 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *