Gaza News :ગાઝામાં ઈઝરાયલની એર સ્ટ્રાઈક, 70નાં મોત, Breaking News 1

Spread the love

Gaza News :ગાઝામાં ફૂડ પેકેટ્સ અને માનવીય સહાયની રાહમાં લાઈનમાં ઉભા રહેલા લોકો પર એર સ્ટ્રાઈક થઈ હતી

Gaza News :ગાઝામાં ફૂડ પેકેટ્સ અને માનવીય સહાયની રાહમાં લાઈનમાં ઉભા રહેલા લોકો પર એર સ્ટ્રાઈક થઈ હતી. એમાં ૭૦નાં મોત થયા હતા અને ૨૮૦થી વધુને ઈજા પહોંચી હતી. યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં મૃત્યુ આંક ૩૦ હજારને પાર પહોંચી ગયો છે. આ ઘટનાના વિડીયો અને ફોટોમાં ચારે બાજુ મૃતદેહો વેરાયેલા પડયા હોવાનું જણાતું હતું. અને આ એર સ્ટ્રાઈકમાં અનેક લોકો મોતનો ભોગ બન્યા છે.

Gaza News

સંયુક્ત રાષ્ટ્રના કહેવા પ્રમાણે ૨૩ લાખ પેલેસ્ટાઈની નાગરિકો ભૂખમરાથી પીડાઈ રહ્યાં છે. ગાઝામાં રહેતા લોકો ભોજન માટે વલખાં મારી રહ્યાં છે. તેમને માનવીય સહાય આપવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ફૂડ પેકેટ્સ, ભોજન સહિતની સામગ્રી આપવામાં આવી રહી હતી ત્યારે લોકો એ લેવા માટે લાઈનમાં ઉભા હતા. બરાબર એ જ વખતે ઈઝરાયલી સૈન્યએ એરસ્ટ્રાઈક કરી હતી. જે સમયે લોકો ત્યાં લાઇનમાં ઊભા હતા તેજ સમયે એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. અને આજ કારણે અનેક લોકો આનો ભોગ બન્યા હતા.

સ્થાનિક હેલ્થ અધિકારીઓના કહેવા પ્રમાણે લોકો સહાય મેળવવા ઉભા હતા ત્યારે અચાનક બોમ્બ વર્ષા થઈ હતી. તેના કારણે આખાય વિસ્તારમાં ભાગદોડ મચી હતી અને અરાજકતા સર્જાઈ હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડવા માટે પૂરતી એમ્બ્યુલન્સ ન હોવાથી ઘણાંએ દમ તોડી દીધો હતો. હોસ્પિટલોમાં પણ ઘાયલોને જમીન પર સૂવડાવીને સારવાર આપવી પડી હતી. મૃત્યુ આંક હજુ વધે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. વીજળીના અભાવે લોકોને હોસ્પિટલમાં પહોંચાડી શકાયા ન હતા. બીજી તરફ ઈઝરાયલી સૈન્યએ આ અંગે સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો અને એક નિવેદનમાં કહ્યું હતું કે આવા અહેવાલો તરફ ધ્યાન આપી રહ્યાં છીએ. 

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *