Crime News :અધિકારીએ લાંચના ગુનામાં પકડાયા બાદ ચોથા માળેથી કૂદીને કરી આત્મહત્યા…..! crime story 1

Spread the love

Crime News :રાજકોટમાં કેન્દ્ર સરકારના પ્રથમ વર્ગના અધિકારીએ સીબીઆઈના હાથે લાંચના ગુનામાં પકડાયા બાદ ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી

Crime News :રાજકોટમાં કેન્દ્ર સરકારના પ્રથમ વર્ગના અધિકારીએ સીબીઆઈના હાથે લાંચના ગુનામાં પકડાયા બાદ ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. ફરિયાદ મળતા સીબીઆઈએ રાજકોટમાં જોઈન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસમાં તૈનાત જવરીમલ બિશ્નોઈની ધરપકડ કરી હતી. કોર્ટમાં હાજર થતાં પહેલાં જવરીમલ બિશ્નોઈએ ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

Crime News :આ કેસમાં સીબીઆઈએ બિશ્નોઈના રાજકોટ અને મૂળસ્થાન સહિત અનેક સ્થળોએ દરોડા અને સર્ચ કર્યા હતા. બિશ્નોઈના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તે એક ઈમાનદાર અધિકારી હતા અને અત્યાર સુધી તેમની સામે આવો કોઈ કેસ સામે આવ્યો નથી. તેને કોઈ મોટા ષડયંત્રમાં ફસાવવામાં આવ્યો અને પછી તેનો જીવ છીનવાઈ ગયો. પરિવારજનોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે આ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

Crime

રાજકોટમાં ફરજ બજાવતા જરવરીમલ બિશ્નોઈ સામે રૂ. 9 લાખની લાંચ માંગ્યાના આરોપમાં ફરિયાદ નોંધાઈ હતી. આ પછી સીબીઆઈએ આ કેસમાં કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, ફરિયાદી જેનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે. તેના પર કુલ નવ લાખ રૂપિયાની માંગણી કરવાનો આરોપ હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે જવરીમલ બિશ્નોઈએ નિકાસ માટે જરૂરી એનઓસી આપવાના બદલામાં આ પૈસાની માંગણી કરી હતી.

એનઓસી માટેની છ ફાઇલો રાજકોટની ઓફિસમાં પેન્ડીંગ હતી. ફરિયાદીનો આરોપ છે કે બિશ્નોઈએ પાંચ લાખ રૂપિયાની પ્રારંભિક ચુકવણીની માંગ કરી હતી અને બાકીની રકમ એનઓસીની પ્રાપ્તિ પર ચૂકવવાની હતી. આ મામલે ફરિયાદ બાદ સીબીઆઈએ છટકું ગોઠવ્યું હતું અને પછી બિશ્નોઈને રંગે હાથે પકડી લીધો હતો. સીબીઆઈની ટીમ બિશ્નોઈને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લઈ શકે તે પહેલા આ ઘટના બની હતી.

આ સમગ્ર મામલે કોર્ટ બિશ્નોઈને કોર્ટમાં રજૂ કરવાની હતી ત્યારે બિશ્નોઈએ ઓફિસના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંના ડોક્ટરોએ બિશ્નોઈને મૃત જાહેર કર્યો હતો. બિશ્નોઈ જોઈન્ટ સેક્રેટરીના રેન્કના અધિકારી હતા. ઘટના પર પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા અને તેમના પર ષડયંત્રનો આરોપ લગાવ્યો. તેઓએ ત્યાં હંગામો પણ મચાવ્યો હતો. રાજકોટ ઝોન-2 સુધીર કુમાર દેસાઈએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે CBI અધિકારીઓ તેમની પૂછપરછ કરી રહ્યા છે. દરમિયાન અચાનક જવરીમલ બિશ્નોઈ દોડીને ચોથા માળેથી કૂદી ગયો હતો.

link 1

link 2


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *