Chotaudepur :છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા પત્રકાર પરિષદ યોજી…
Chotaudepur : વચગાળાના અંદાજપત્રને વર્ષ 2047માં વિકસિત ભારતના પાયાને મજબૂત કરવાની ગેરંટી ગણાવી…
છોટાઉદેપુર થી ધાર રેલ્વે પ્રોજેક્ટ માટે બજેટમાં 350 કરોડ ફળવાયા
કાર્ય પૂર્ણ થવાથી વડોદરા થી ઇન્દોર વચ્ચેનું અંતર 109 કિ.મી ઘટશે.


દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલ વચગાળાના અંદાજપત્રને વર્ષ 2047માં વિકસિત ભારતના પાયાને મજબૂત કરવાની ગેરંટી ગણાવી હતી.
દેશના નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટ અંગે આજરોજ છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા દ્રારા તેઓના કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતુ કે 1 ફેબ્રુઆરી ના રોજ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજુ કરવામાં આવેલ વચગાળાનું બજેટ વડાપ્રધાન મોદી ના વિઝન વિકસિત ભારત 2047 ને આગળ ધપાવે છે.
અને ત્યારે ભારત આઝાદીની સદી ઉજવશે.
મોદી સરકારના સબકા સાથ સબકા વિકાસ સૂત્ર સાથે ગરીબો યુવાનો ખેડૂતો અને મહિલાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. રજુ કરેલ બજેટ 2047 ની વિકસિત ભારતના પાયાને મજબૂત કરવાની ગેરંટી છે.
ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યાર સુધી ચાર કરોડથી વધુ દરેક ભારતીયને પોતાનું ઘર મળ્યું છે અને હજુ બે કરોડ પ્રધાનમંત્રી આવાસ બનાવવાનો સરકારનો લક્ષ્ય છે .
ભારત સરકાર મહિલાઓના ઉત્થાન માટે 3 કરોડપતિ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે.
આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત હવેથી આંગણવાડી કાર્યકર અને આશા વર્કરોને પણ આ યોજનાનો લાભ મળશે.
સરકાર દ્વારા 9 થી 14 વર્ષની દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સર રસીકરણ ને પ્રોત્સાહન આપીને ભારતીય મહિલાઓને વધુ સશક્ત બનાવવા નો લક્ષ છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અંત્યોદય કુટુંબો ને મફત અનાજ આપવાની અવધિ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે.
વધુમાં સાંસદ દ્વારા જણાવેલ કે છોટાઉદેપુર થી ધાર રેલ્વે પ્રોજેક્ટ માટે બજેટમાં 350 કરોડ ફળવાયા છે. આ કાર્ય પૂર્ણ થવાથી વડોદરા થી ઇન્દોર વચ્ચેનું અંતર 109 કિ.મી ઘટશે.