Bhavnagar News :પરીવાર ધાર્મિક પ્રસંગે બહારગામ જતા અજાણ્યા જાણ ભેદુઓએ બંધ મકાનના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો
Bhavnagar News :ભાવનગર શહેરના કરચલીયાપરામા આવેલ રહેણાંકી મકાનમાં મકાન ધારક પરીવાર ધાર્મિક પ્રસંગે બહારગામ જતા અજાણ્યા જાણ ભેદુઓએ બંધ મકાનના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ મામલે સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ આધારે પોલીસ જવાનોએ ચોરીની ઘટનાને અંજામ આપનાર આજ વિસ્તારમાં રહેતા એક શખ્સ તથા મહિલાને ઝડપી લઈ સમગ્ર ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે અને ચોરીમાં ગયેલ સંપૂર્ણ મુદ્દામાલ કબ્જે કર્યો છે.
તાજેતરમાં શહેરના કરચલીયાપરામા ભૂંભલીફળી વાઘેલાના મઢ પાસે રહેતા કાના કેસા વાઘેલા નામના માછીમાર પોતાના પરીવાર સાથે મકાનને તાળા મારી ધાર્મિક પ્રસંગે બહારગામ ગયા હતા એ દરમ્યાન કોઈ અજાણ્યા જાણભેદુઓએ બંધ મકાનના તાળા તોડી રૂમમાં રાખેલ કબાટમાંથી દાગીના-રોકડ રકમ મળી કુલ રૂ.3,30,000/-ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયાની ફરીયાદ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

જે અંગે પોલીસે તત્કાળ તપાસ હાથ ધરી ટેકનિકલ તથા બાતમીદારોની મદદથી કરચલીયાપરામા આવેલ અગરીયાવાડ મામાની દેરી પાસે રહેતા નિલેશ ઉર્ફે ઝવેરો રણછોડ ચુડાસમા ઉ.વ.23 તથા ચંપા ઉર્ફે પારૂલ પેથા ચુડાસમા ઉ.વ.40 રે.ક.પરા કરેડાવાળી ફળીને ઉઠાવી સઘન પુછપરછ હાથ ધરતા આ મહિલા તથા શખ્સે સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. આ બંને પાસેથી ચોરીમાં ગયેલ દાગીના તથા રોકડ રકમ મળી તમામ મુદ્દામાલ કબ્જે કરી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.