Bhavnagar News :શિહોર જીઆઇડીસી પાસે રીક્ષા પલ્ટી મારી જતા બાળકો સહિત છ જેટલા લોકોને ઈજા પહોંચી
Bhavnagar News :ભાવનગર ( Bhavnagar ) જિલ્લાના શિહોરમાં જીઆઇડીસી પાસે એક રીક્ષા પલટી મારી ગઈ હતી. જેથી રીક્ષામાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ભાવનગર ( Bhavnagar ) જિલ્લાના સિહોરના જીઆઇડીસી પાસે રીક્ષા પલટી મારી ગઈ હતી. જેમાં બાળકો સહિત છ થી સાત લોકોને ઈજાઓ પહોંચી હતી.


નાના બાળકો વધુ પ્રમાણમાં હોવાનું સામે આવ્યું છે. જોકે બનાવને પગલે તાત્કાલિક ધોરણે દરેક ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે અમુકને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે ભાવનગર ( Bhavnagar ) ખસેડવામાં આવ્યા હોવાનું પણ કહેવાય રહ્યું છે.