Bharuch News :ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનમાંથી કોણ ચૂંટણી લડશે તેને લઇને ઘમાસાણની સ્થિતિ ઉભી થઇ ગઇ છે
Bharuch News :ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનમાંથી કોણ ચૂંટણી લડશે તેને લઇને ઘમાસાણની સ્થિતિ ઉભી થઇ ગઇ છે.આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ઉમેદવાર બનાવી ભરૂચના મહાસંગ્રામમાં ઉતારી દીધા છે. જો કે સામે કોંગ્રેસમાંથી મુમતાઝ પટેલ પણ દાવેદારી કરવા માટે તૈયાર છે ત્યારે સૌથી મહત્વનો સવાલ એ છે કે ભરૂચથી ભાજપને આખરે કોણ આપશે ટક્કર ???

બીજી તરફ ચૂંટણીનો જંગ રસપ્રદ બનતો જાય છે ચૈતર વસાવા અને મનસુખ વસાવાના સામસામે શાબ્દિક પ્રહાર રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી રહ્યા છે. ચૈતર વસાવાએ જીતનો દાવો કર્યો છે તો સાંસદ મનસુખ વસાવાએ દાવાને પોકળ ગણાવ્યો હતો. વસાવા સામે વસાવાના આ જંગમાં ખરાખરીની રાજકીય ખેલ ખેલાવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.