આજે UAEમાં BAPS હિંદુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, Great 1

Spread the love

અબુ ધાબીમાં ઐતિહાસિક BAPS હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ભારતીય સમય પ્રમાણે સવારે 8:45 પછી શરૂ થશે, લોકાર્પણ સમારોહ ભારતીય સમય પ્રમાણે સાંજે 6 થી 9:50 દરમિયાન યોજાશે.

અબુ ધાબીના ઐતિહાસિક BAPS હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણનો અવસર સમગ્ર વિશ્વ માટે સંવાદિતા, સ્નેહ અને સહિષ્ણુતાનો સંદેશ લઈને આવી રહ્યો છે. બી એ પી એસ સ્વામિનારાયણ સંસ્થાએ પોતાની અદભુત મેનેજમેન્ટ ક્ષમતા અને પવિત્ર હેતુ સાથે આ મંદિર નિર્માણ કર્યું છે.  તારીખ 14 ફેબ્રુઆરીના રોજ એટલે કે, આજે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, ભારતીય સમય પ્રમાણે સવારે 8:45 પછી શરૂ થશે, જ્યારે સંધ્યા સમયે લોકાર્પણ સમારોહ ભારતીય સમય પ્રમાણે સાંજે 6 થી 9:50 દરમિયાન યોજાશે.

BAPS

યુ. એ. ઈ. ના લાખો ભારતીયો આ ગૌરવશાળી ક્ષણ માટે રોમાંચિત છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 2015 અને 2018માં અહીં પધારીને આ મંદિરની વિધિવત જાહેરાત કરી ત્યારે અહીં વસતા આશરે 33 લાખ ભારતીયોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું.  અત્રે ઉલ્લેખનીય છે કે, મંદિર માટેની ભૂમિનું ઉદાર દિલે યુ.એ.ઈના શાસકો દ્વારા દાન કરવામાં આવ્યું હતું. સાથે-સાથે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ સમક્ષ જ્યારે મંદિર નિર્માણની ડિઝાઇન રજૂ કરવામાં આવી ત્યારે તેમણે શિખરબધ્ધ મંદિરનો વિકલ્પ પસંદ કર્યો હતો.   

આ મંદિરના સંકલ્પમૂર્તિ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 5 એપ્રિલ, 1997ના રોજ શારજાહના રણમાં પ્રાર્થના કરતાં ઉચ્ચાર્યું હતું. “અહીં અને વિશ્વમાં શાંતિ પ્રસરે, બધા ધર્મોનો પરસ્પર આદર વધે, બધા દેશો એકબીજા પ્રત્યેના પૂર્વગ્રહથી મુક્ત થાય, અને સર્વે પોતપોતાની આગવી રીતે પ્રગતિ કરે. અબુ ધાબીમાં મંદિર થાય, અને તે મંદિર દેશો, સંસ્કૃતિઓ, ધર્મો અને સમુદાયોને એકબીજાની નજીક લાવે.” 2015માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને ‘UAE આર્મ્ડ ફોર્સ’ના  સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ નહ્યાને મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી.

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ફેબ્રુઆરી 11, 2018માં આ મંદિર પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી 2019માં ‘યર ઓફ ટોલરન્સ’ દરમિયાન, યુ. એ. ઈ. ના શાસકો દ્વારા વધુ 13.5 એકર જમીન ફાળવી – કુલ 27 એકર જમીન મંદિર માટે ભેટમાં આપવામાં આવી હતી. આ મંદિરના સર્જક પૂજ્ય મહંત સ્વામી મહારાજે આજથી લગભગ ત્રણ વર્ષ પહેલાં 22 ડિસેમ્બર, 2020 ના રોજ આ મંદિર માટે આશીર્વાદ આપતાં કહ્યું હતું. “આ મંદિર પ્રેમ, શાંતિ અને સંવાદિતાનું ધામ બનશે. આ મંદિર દ્વારા લોકોના જીવન પરિવર્તનરૂપી ચમત્કારો સર્જાશે. શ્રદ્ધા, હકારાત્મકતા અને આધ્યાત્મિક એકતાનો નવો યુગ પ્રારંભ થશે.”    

  • મંદિરની ભૂમિનું દાન: UAE ના શાસકો દ્વારા 
  • 13.5 એકરમાં મંદિર પરિસર, 13.5 એકરમાં પાર્કિંગ
  • પાર્કિંગમાં આશરે 1400 કાર અને 50 બસોનો સમાવેશ કરવાની ક્ષમતા છે.
  • ટેક્સી સ્ટેન્ડ અને બે હેલીપેડની વ્યવસ્થા   
  • ઊંચાઈ: 108 ફૂટ, પહોળાઈ: 180 ફૂટ, લંબાઈ: 262 ફૂટ
  • UAE ના સાત દેશોનું પ્રતિનિધિત્વ કરતાં 7 શિખર 
  • 2 મુખ્ય ડોમ, ‘ડોમ ઓફ હાર્મની’ અને ‘ડોમ ઓફ પીસ’  
  • 12 સામરણ શિખર
  • 402 સ્તંભ
  • 25,000 જેટલાં પત્થરો દ્વારા મંદિર એક વિશાળ 3 D જિગ-સૉ પઝલની જેમ આકાર પામ્યું 
  • વિશ્વનું સર્વ પ્રથમ મંદિર, જ્યાં 300 જેટલાં સેન્સર્સ મૂકવામાં આવ્યા છે, જે દબાણ, તાપમાન, ભૂકંપ સંબંધી લાઈવ ડેટા પૂરો પાડતા રહેશે. 
  • વપરાયેલ માર્બલ: 50, 000 ઘન ફૂટ
  • વપરાયેલ ગુલાબી પત્થર : 1, 80, 000 ઘન ફૂટ
  • વપરાયેલ ઈંટો: 18, 00, 000
  • માનવ કલાકો – 6, 89, 512
BAPS

મંદિર ઉપરાંત અન્ય સુવિધાઓમાં મંદિરમાં 3000 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો સભાગૃહ, કોમ્યુનિટી સેન્ટર, પ્રદર્શની, ક્લાસરૂમ અને મજલિસ હશે. મંદિરનું મોડેલ બનાવવા માટે 10 દેશોના, 30 પ્રોફેશનલ્સના 5000 માનવ કલાકો લાગ્યા છે.  સૌ પ્રથમ વાર મંદિરનું ડિજિટલ મોડેલ બનાવી સિસ્મિક એનાલીસીસ કરવામાં આવ્યું છે. ગીન બિલ્ડિંગ – ફાઉન્ડેશનમાં 55% ફલાય એશ નો ઉપયોગ કરવામાં આવ્યો.

મંદિરની બહારની બાજુ રાજસ્થાનના ગુલાબી પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરના અંદરના ભાગમાં ઇટાલિયન માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિર તરફ જતા પથની આજુબાજુ આ મંદિરના સંકલ્પમૂર્તિ એવા પ્રમુખસ્વામી મહારાજના 96 વર્ષના પરોપકારી જીવનને અંજલિ રૂપે 96 ઘંટ લગાવવામાં આવ્યા છે. નેનો ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગરમ વાતાવરણમાં પણ દર્શનાર્થીઓને ચાલવામાં અનુકૂળ રહેશે. મંદિરમાં ઉપર ડાબી બાજુએ 1997 માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અબુધાબીમાં મંદિરનો સંકલ્પ કરેલો, તે દ્રશ્યને પત્થરોમાં કંડારવામાં આવ્યું છે. મંદિરમાં ઉપર જમણી બાજુએ 2019 માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ શિલાન્યાસ પ્રસંગે પધાર્યા હતા, તે સમયની સ્મૃતિને કંડારવામાં આવી છે. મંદિરમાં કોઈ ferrous મટિરિયલ એટલે કે સ્ટીલ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.  

મંદિરમાં વિવિધ પ્રકારના સ્થંભ જોઈ શકાય છે, જેમકે વર્તુળાકાર, ષટ્કોણાકાર છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ વગેરે મૂળભૂત પંચ તત્વોની કોતરણી  દ્વારા એક ડોમમાં માનવ સહ-અસ્તિત્વ અને સંવાદિતા દર્શાવવામાં આવી છે. એક વિશિષ્ટ સ્તંભ છે, જેને ‘Pillar of pillars’ કહે છે, તેમાં 1400 જેટલાં નાના સ્તંભ કોતરવામાં આવેલા છે. આ સ્તંભને તૈયાર કરવામાં 12 કારીગરોને એક વર્ષ લાગ્યું હતું. 

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *