Banaskantha News :શોભાયાત્રામાં આમંત્રણ ના મળતા સરપંચ પર હુમલો, Breaking News 1

Spread the love

Banaskantha News :બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ગોસણ ગામના સરપંચ અને તેમના પરિવાર પર હુમલાની ઘટના સામે આવી છે

Banaskantha News :બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ગોસણ ગામના સરપંચ અને તેમના પરિવાર પર હુમલાની ઘટના સામે આવી છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી અને આ માટે ગામમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં નિમંત્રણ નહીં આપવાને લઇ અદાવત રાખીને 9 જેટલા શખ્શોએ હુમલો કર્યો હતો. ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.

Banaskantha

તાજેતરમાં જ ભાભરના ગોસણ ગામે રામાપીર મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હતો. મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં નિમંત્રણ નહીં આપવાને લઈ કેટલાક પરિવારોમાં મનદુઃખ સર્જાયુ હતુ. જેને લઈ સરપંચ તેજાજી શિવાજી ઠાકોર પર 20 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. કાર, પીકઅપ ડાલુ અને ટ્રેક્ટરમાં આવેલા ગામના જ શખ્શોએ સરપંચના ઘરે હુમલો કર્યો હતો.

હુમલામાં સરપંચ અને તેમના પરિવારજનોના ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. ટોળાએ સરપંચની કાર અને મોપેડ સહિત દુકાન સહિતની તોડફોડ કરી હતી. ઘટના અંગે સરપંચના પુત્ર અંકિત ઠાકોરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસે 9 આરોપીઓ સહિત ટોળા સામે ફરિયાદ નોંધી છે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *