Amreli News :અમરેલીમાં સરકારી પાઠ્યપુસ્તકોનાં વેચાણનો મામલો આવ્યો સામે છે ત્યારે અમરેલીની જ્ઞાનદિપ સ્ટેશનરીમાં રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્ય આપવામાં આવતા પાઠય પુસ્તકનું વાલી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યું છે
Amreli News :અમરેલીમાં સરકારી પાઠ્યપુસ્તકોનાં વેચાણનો મામલો આવ્યો સામે છે ત્યારે અમરેલીની જ્ઞાનદિપ સ્ટેશનરીમાં રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્ય આપવામાં આવતા પાઠય પુસ્તકનું વાલી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યું છે. વાલી સુરેશભાઈ સુહાગિયા દ્વારા પોતાના બાળક માટે પાઠ્યપુસ્તકની ખરીદી કરવા ગયા હતા તે સમયે વાલીને ધ્યાને આવતા વાલી અમરેલી જિલ્લા શિક્ષણાધીકારીને કોલ કરીને જાણ કરવામાં આવી હતી.
ત્યારે સુરેશભાઈ સુહાગિયાએ જણાવ્યું હતું કે આજરોજ અમરેલી ખાતે આવેલી આ જ્ઞાનદીપ સ્ટેશનરી ખાતે હું મારા દીકરા માટે ધોરણ 10 ના પાઠ્યપુસ્તકો લેવા આવ્યો હતો ત્યારબાદ પાઠ્યપુસ્તકની ખરીદી બાદ બિલ બનતું હોય ત્યારે મારે ધ્યાને આવ્યું કે ગુજરાત સરકાર દ્વારા જે વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે તેનું આ સ્ટેશનરી દ્વારા વેચવામાં આવ્યા હતા.

Amreli News :આ મારા ધ્યાને આવતા અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારીને ફોન કરીને જાણ કરી હતી. 30 મિનિટથી પણ વધુ સમય વીતી જતા કોઈ અધિકારીઓ સ્થળ પર આવ્યા ન હતા વધુમાં સુરેશભાઈ સુહાગિયા જણાવ્યું હતું કે સ્ટેશનરીના માલિક સાથે ચર્ચા કરતા કહ્યું હતું કે કૌશિકભાઈ વેકરીયા સાથે પણ મારે અગાઉ આ બાબતે ચર્ચા થઈ હતી આમાં ક્યાંકને ક્યાંક રાજ્ય સરકાર પણ સંડોવાયેલી હોવાના વાલીએ આક્ષેપ કર્યા છે ઘણી વખત અનેક બનાવો સામે આવતા હોય છે.
નકલી વસ્તુઓ કે પછી કે સરકારની વસ્તુઓ વેચાતી હોય ત્યારે વાલીએ અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયાને એક અપીલ કરી છે કે જો તમારો આમાં કંઈ હાથ ન હોય તો તમે આ સ્ટેશનરી ચલાવનાર સામે યોગ્ય કાર્યવાહી કરીને પગલા ભરવામાં આવે તેવી સુરેશભાઈ સુહાગિયા દ્વારા અપીલ કરવામાં આવી હતી.
આ વિષે વધુમાં સ્ટેશનરીના માલિક રાજુભાઈએ જણાવ્યું હતું કે આજરોજ એક વાલી પોતાના બાળક માટે પાઠ્યપુસ્તકની ખરીદી કરવા આવ્યા હતા ત્યારે અમારી પાસે બે નંગ પુસ્તક હોય તે પાઠયપુસ્તક રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં ભણતા બાળકો માટે વિનામૂલ્યે આપવામાં આવતા હોય છે સ્ટેશનરીના માલિક દ્વારા બચાવમાં કહેવામાં આવ્યું હતું કે તે બાળકો અમને આ પુસ્તકો આપી જાય છે અને લખવા માટેના ચોપડાઓ અને પુસ્તકો લઈ જાય છે તો શું નવા પાઠ્યપુસ્તકો બાળકો દ્વારા વેચવામાં આવે છે તો શા માટે સ્ટેશનરીના માલિકો દ્વારા ખરીદી કરવામાં આવે છે શું આમ સ્ટેશનરીના માલિકોને સરકારનો કોઈ ડર જ નથી સ્ટેશનરીના માલિક દ્વારા પોતાની ભૂલ મીડિયા સમક્ષ સ્વીકારવામાં આવે છે.
Amreli News :તો આ ચોપડાની ખરીદી સમયે કેમ આ વાત ધ્યાને ન આવી કે ગુજરાત સરકારના વિનામૂલ્યે ચોપડા શાળાઓમાં આપવામાં આવે છે તેની ખરીદી ન કરવી જોઈએ 30 મિનિટ બાદ જિલ્લા શિક્ષણ વિભાગમાંથી અધિકારીઓ તપાસ માટે સ્થળ પર આવે છે ત્યારે જે સ્ટેશનરીના માલિક દ્વારા કહેવામાં આવે છે કે મારી પાસે ફક્ત બે જ પુસ્તકો છે તો શા માટે અધિકારીઓ દ્વારા આ તેનું વાતનું માન રાખીને અંદર ચેકિંગ ન કરવામાં આવ્યું.
શું સ્ટેશનરીના માલિકોને શિક્ષણવિભાગનાં અધિકારીઓની મીલીભગત હશે આવી ઘણી સ્ટેશનરીઓ છે જ્યાં સરકાર માન્ય પુસ્તકોની લે વેચ થતી હશે તો આ સ્ટેશનરીના માલિકો સામે ક્યારેક કાર્યવાહી થશે અને જ્યારે જિલ્લા શિક્ષણ વિભાગમાંથી આવેલા અધિકારીઓને પૂછવામાં આવેલ કે કેમ સ્ટેશનરીમાં અંદર તપાસ કરવામાં ન આવી કેમ ફક્ત સ્ટેશનરીના માલિક દ્વારા કહેવામાં આવ્યું તેટલા જ પુસ્તકો લઈને વધુ તપાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારીને આપવામાં આવશે એની શું ખાતરી કે અંદર બીજા પુસ્તકો નહીં હોય શું અધિકારીઓને સરકારના પૈસાનો આમ જ બેફામ વેપાર થવા દેવાનો છે કે જે સરકારમાં આવતી વસ્તુઓને વેચી નાખે ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓને પૂછતા અધિકારીઓએ ચાલતી પકડી હતી.
હવે પછી આવશું લોક મુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે જો બે પુસ્તકો મળ્યા ત્યારે જ ચેકિંગ ન કર્યું તો પછી હવે શું અધિકારીઓ ચેકિંગ કરવાના છે અને હવે જો ચેકિંગ આવે તો તેની શું જવાબદારી કે અન્ય પુસ્તકો મળશે કે નહીં કેમકે ત્યાં સુધીમાં સ્ટેશનરી ના માલિક દ્વારા અન્ય પુસ્તકોને સગે વગે પણ કરી દેવામાં આવ્યા હોય હવે તો આવનારો સમય જ બતાવશે કે અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્ટેશનરીના માલિક સામે કડક પગલાં ભરવામાં આવે અને સરકારની વસ્તુઓનું વેચાણ કર્યું હોય તેની સામે કાનૂની કાર્યવાહી અને જો અમરેલી જિલ્લામાં અન્ય પણ જગ્યાએ સરકાર માન્ય પાઠ્યપુસ્તકનું વેચાણ થતું હોય તેની તપાસ કરી તેના પર પ્રતિબંધ મૂકી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.