Ahmedabad News :અમદાવાદનાં સાબરમતી વિસ્તારમાં મકાનોના ડીમોલેશનની કામગીરી કર્યા બાદ ઘણા લોકો ઘર વિહોણા બની ગયા છે
Ahmedabad News :કોઈ વ્યક્તિનું જો મકાન નાં હોય તો તેને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. નાના નાના બાળકો અને મહિલાઓ રસ્તા ઉપર સુવા અને રહેવા મજબુર બન્યા છે. અમદાવાદનાં સાબરમતી વિસ્તારમાં મકાનોના ડીમોલેશનની કામગીરી કર્યા બાદ ઘણા લોકો ઘર વિહોણા બની ગયા છે.

ત્યારે સ્થાનિક આગેવાનોની મદદથી લોકોને જમવાનુ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. ત્યારે તંત્રનાં પાપે ગરીબોના ઘર છીનવાઈ ગયા છે. જે વર્ષોથી અહીંયા રહેતા હતા તે ઘરવિહોણા બનીગયા છે ત્યારે ન્યુઝ ફોર ઈન્ડિયાનાં મારા સહયોગી યશ નાયકે ઘટના સ્થળની મુલાકાત અને સ્થાનિક સાથે વાત કરી હતી અને તેઓની વેદના સાંભળી હતી.