Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે
Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે. લોકસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા તેઓ નારાજ હતા અને તેમણે રવિવારે (24 માર્ચ, 2028) ઝેરી દવાને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઝેર પીધા બાદ ગણેશમૂર્તિને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમની હાલત વધુ ખરાબ થતાં તેમને કોઈમ્બતુરની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું નિધન થયું. ગણેશમૂર્તિના સંબંધીઓને ટાંકીને જણાવ્યું કે ગણેશમૂર્તિએ રવિવારે જંતુનાશક દવા પી લીધી હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં તેમનું મૃત્યુ થયું હતું.
આ ચૂંટણીમાં MDMKના સ્થાપક વાઈકોએ તેમના પુત્ર દુરાઈ વાઈકોની ઉમેદવારી પર ભાર આપ્યો અને ખાતરી કરી કે MDMKને ઈરોડને બદલે તિરુચી સીટ મળે. 2019ની લોકસભા ચૂંટણીમાં એ.ગણેશમૂર્તિએ AIADMK ઉમેદવાર જી મણિમારણને 2,10,618 મતોથી હરાવ્યા હતા.