Election 2024 :આજે કમલમ ખાતે મહત્વની બેઠક, Breaking News 1

Spread the love

Election 2024 :ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપના તમામ ઘારાસભ્યો, જીલ્લાના પ્રમુખો અને પ્રભારીઓની બેઠકનુ આયોજન કમલમ ખાતે કરવામાં આવ્યુ છે

Election 2024 :ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપના તમામ ઘારાસભ્યો, જીલ્લાના પ્રમુખો અને પ્રભારીઓની બેઠકનુ આયોજન કમલમ ખાતે કરવામાં આવ્યુ છે. ક્મલમ ખાતે 12ઃ30 કલાકે મળનારી બેઠકમાં રાજ્ય સરકારના મંત્રીઓ પણ હાજર રહેશે, મહત્વની વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીમાં 5 લાખની લિડનો ટાર્ગેટ સાથે તમામ બેઠકો જીતવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.

Election 2024

Election 2024 :ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક ખુબ મહત્વની રહેશે. ત્યારે ભાજપના ઘારાસભ્યો સાથે વિઘાનસભા 2022ની ચૂંટણીનો વોટ શેરીંગની વિગતો માંગવામાં આવશે અને નબળા બુથોને મજબુત કઇ રીતે કરવુ તે રીતનુ આજની બેઠકમાં આયોજન કરવામાં આવશે.

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ પક્ષ દ્વારા 25 એપ્રીલ સુઘીના અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. તેમજ છેલ્લા 10 દિવસથી કમલમ ખાતે અનેક મોચરાની બેઠકો યોજીને કાર્યકર્તાએ જન જન સુઘઈ પહોંચવાની સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે વિઘાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે જ્યાં ઓછી લિડથી જીત મેળવી છે અને જ્યાં જ્યાં કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોની જીત થઇ છે તેવી બેઠકો પર ભાજપ વધુને વધુ મત મેળવીને પાંચ લાખની સરસાઇ મેળવવા મથી રહી છે.

વર્ષ 2019ની લોકસભાની વાત કરવામાં આવે તો 26 બેઠકો માંથી ફક્ત ગાંઘીનગર, બરોડા, સુરત અને નવસારી બેઠકો પર 5 લાખથી વધારાની લિડ મળી હતી પરંતુ 21 બેઠકો એવી છે જેમાં ફક્ત 4.50 લાખની લીડ પ્રાપ્ત થઇ હતી. જ્યારે 10 બેઠકો પર પર તો 1 લાખથી 3 લાખ સુઘીનુ લિડ હતી. ત્યારે હવે લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પાંચ લાખની સરસાઇથી જીતવા માટે ભાજપે એડી ચૈટીનુ જોર લગાવવુ પડશે.

ત્યારે બની શકે છે આજની આ મહત્વની બેઠકમાં અગત્યના નિર્યણ લેવામાં આવી શકે છે અને આ બેઠક ભારતીય જનતા પાર્ટી માટે ખુબ અગત્યની રહેશે. ત્યારે આ બેઠકમાં દરેક લોકોને હાજર રહેવા માટેના આદેશ કરવામાં આવ્યા છે અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *