Accident in Junagadh :ઈકો કારના ચાલકે બાઈકને અડફેટે લેતા ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત | Breaking News 1

Spread the love

Accident in Junagadh :ગુજરાતમાં આજે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં 3 યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે

Accident in Junagadh :છેલ્લા ઘણા સમયથી રાજ્યોમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યાં છે. અકસ્માતના કારણે ઘણા પરિવારોને પોતાના મોભી કે સ્વજનો ગુમાવવાનો વારો આવે છે. આવા સમયે વિચાર આવે કે, જો તે સમયે ટ્રાફિકના નિયમોનું પાલન કરી લીધું હોત તો અકસ્માત ન થાત, પરંતુ પાછળથી પસ્તાવાનો કોઈ મતલબ નથી. ગુજરાતમાં આજે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં 3 યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. હાલ પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

Accident in

પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢમાં બાટવાના પાજોદ ગામ પાસે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ઈકો કારના ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવીને બાઈકને અડફેટે લીધું હતું, આ ઘટનામાં બાઈક પર સવાર ત્રણ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક જૂનાગઢની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

જ્યાં ત્રણેય યુવકો ભરત નગભાઈ મોરી ઉં.વ 16, રહે. બાટવા), પરેશ પરબતભાઈ રામ (ઉં.વ 25, રહે. બાટવા) અને હરદાસભાઈ કાળાભાઈ ઓડેદરા (ઉં.વ 30 રહે. માણાવદર)ના દુઃખદ અવસાન થયા હતા. આ અકસ્માતની જાણ થતાંની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે અકસ્માત સર્જીને ફરાર થયેલા અજાણ્યા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે કારના નંબરના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *