Ahmedabad News :મહિલા પોલીસના આપઘાત બાદ પ્રેમીએ પાલડીની હોટલમાં જ આત્મહત્યા કરી…! | Breaking News 1

Spread the love

Ahmedabad News :જસંવત ઉર્ફે જસુ રાઠોડ નામના પ્રેમીએ પાલડીમાં આવેલી એક હોટલમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી

Ahmedabad News :અમદાવાદ પાલડી પોલીસ મથકમાં ફરજ બજાવતી લલીતાબેન પરમારની આત્મહત્યા માટે જવાબદાર તેના જ ગામમાં રહેતા જસંવત ઉર્ફે જસુ રાઠોડ નામના પ્રેમીએ પાલડીમાં આવેલી એક હોટલમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. મૃતક લલીતાબેન પરમારના રૂમમાંથી મળી આવેલી સ્યૂસાઇડ નોટને આધારે વાસણા પોલીસે હજુ ગત તા.4ના રોજ જસવંત રાઠોડ સામે ગુનો નોંધ્યો હતો. જે બાદ જસવંત તેના ગામથી ફરાર થઇ ગયો હતો. હાલ આ મામલે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Ahmedabad


Ahmedabad News :વાસણા ખોડિયારનગરમાં ભાડેના મકાનમાં રહેતી લલીતાબેન પરમાર પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. ગત તા.29મી ફેબ્રુઆરીના રોજ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જે બાબતે પોલીસે તપાસ કરતા લલીતાબેનના ઘરમાંથી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેણે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના સોલડી ગામે રહેતા જસવંત રાઠોડના માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. જેથી વાસણા પોલીસે જસવંત રાઠોડ સામે ગુનો નોંધ્યો હતો.

જે બાદ જસવંત તેના ગામથી ફરાર થઇ ગયો હતો. તેવામાં પાલડીમાં આવેલી સરગમ હોટલમાં રૂમ. નં. 114માં ગત તા.3 માર્ચની સાંજથી એક વ્યક્તિ રોકાયો હતો. જેણે મંગળવારે દરવાજો ન ખોલતા હોટલના સ્ટાફને શંકા ઉપજી હતી. જેના આધારે એલિસબ્રિજ પોલીસને સાથે રાખીને ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલીને તપાસ કરતા તેમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા મૃતદેહ જસવંત ઉર્ફે જસુ રાઠોડનો હોવાનું જાણવા મળ્યું હતું. જે મામલે હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


પ્રાથમિક તપાસમાં જસવંતની ઉમર 47 વર્ષ હતી અને તે પરિણીત હોવાનું જાણવા મળ્યું છે. તે તા.3ના રોજ સાંજે હોટલમાં આવ્યો હતો અને બાદમાં બહાર નીકળ્યો ન હતો. મંગળવાર સુધી તેની ચહલ પહલ ન રહેતા સ્ટાફે તપાસ કરતા ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. મૃતક સામે તા.4ના રોજ વાસણામાં દુષ્મેરણાનો ગુનો નોંધાતા આત્મહત્યા અંગે વાસણા પોલીસને પણ જાણ કરીને તપાસ શરૂ કરાઈ છે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *