News Update :મિલરામપુરામાં જમીન બાબતે મારામારીમાં 1 નું મોત, 2 ને ઈજા, Breaking News 1

Spread the love

News Update :તારાપુર તાલુકાના મિલરામપુરામાં જમીન વેચવા બાબતના ઝઘડામાં એક જ કુટુંબના બે પરિવારો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો

News Update :તારાપુર તાલુકાના મિલરામપુરામાં જમીન વેચવા બાબતના ઝઘડામાં એક જ કુટુંબના બે પરિવારો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં ૩ વ્યક્તિઓને ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન એકનું મોત નિપજ્યું હતું. આ અંગે ૩ શખ્સો વિરૂદ્ધ તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. 

News Update

મિલરામપુરામાં રામજી મંદિર પાસે રહેતા રૂપાબેન લધુભાઈ રાઠોડ શુક્રવારે સાંજે ઘરે હતાં. ત્યારે કુટુંબી જેઠ નાગરભાઈ રાઠોડનો પૌત્ર બળવંતભાઈ દિનેશભાઈ રાઠોડ ઘરે આવી અપશબ્દો બોલી નારૂભાઈ ગભરૂભાઈ રાઠોડની સર્વે નંબર ૧/૧ ખાતા નંબર ૨૯૮ વાળી જમીન વેચવા માટે તમે કેમ બતાવો છો એમ કહી નજીકમાં પડેલી ઇંટનો ટુકડો તેણીના મોઢામાં મારી દીધો હતો. બાદમાં બળવંતભાઈએ નજીકમાં પડેલી લાકડીની ઝપોટો મારી હતી. 

દરમિયાન રૂપાબેનના પતિ લધુભાઈ તથા દિયર ભીખાભાઈ છોડાવવા વચ્ચે પડતા બળવંતભાઈએ લાકડીની ઝાપોટ લધુભાઈને ઘૂંટણ ઉપર મારી દીધી હતી. તથા બળવંતભાઈનું ઉપરાણું લઈ તેનો ભાઈ સુરેશભાઈ તથા મોટા બાપુ નાગરભાઈ ગભરૂભાઈ રાઠોડ લાકડીઓ લઈ આવી આવી પતિ અને દિયરને માર માર્યો હતો.

બનાવ બાદ ગ્રામજનોએ ત્રણેયને ૧૦૮ મારફતે તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયાં હતાં. જ્યાંથી વધુ સારવાર અર્થે ત્રણેયને કરમસદ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન દિયર ભીખાભાઈ પોપટભાઈ રાઠોડનું મોત નિપજ્યું હતું. આ અંગે તારાપુર પોલીસે બળવંતભાઈ દિનેશભાઈ રાઠોડ, સુરેશભાઈ દિનેશભાઈ રાઠોડ, નાગરભાઈ ગભરૂભાઈ રાઠોડ (તમામ રહે. રામજી મંદિર પાસે, મિલરામપુરા) વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *