Giga Bhammar :ચારણ, દલિત બાદ ગીગા ભમ્મરે દરબારને પણ લપેટ્યાં, Breaking News 1

Spread the love

Giga Bhammar :ગીગા ભમ્મરે ક્ષત્રિય સમાજ (જાડેજા) પર નિશાન સાધ્યું હતું. જેમાં તેઓએ લોક સાહિત્યકાર દેવાયત ખવડ (Devayat Khavad) વિવાદ વિશે વાત કરી હતી

Giga Bhammar :આહીર સમાજના અગ્રણી ગીગા ભમ્મર (Giga Bhammar) સામે ચારેકોર આક્રોશ જોવા મળી રહ્યો છે. ગીગા ભમ્મરનો વિવાદ ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યો છે. ગીગા ભમ્મરના દરરોજ નવા-નવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ચારણ અને દલિત સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપનાર ગીગા ભમ્મર સામે અનેક આવેદનો અપાઈ ચૂક્યા છે. પહેલા ચારણ સમાજ (Charan Samaj) બાદમાં દલિત સમાજનું જાહેર મંચ પરથી અપમાન કરનારા ગીગા ભમ્મરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ ક્ષત્રિય સમાજ પર નિશાન સાધી રહ્યા છે. 

Giga Bhammar

દેવાયત ખવડ વિવાદ વિશે કરી હતી વાત

આહીર સમાજના એક સમૂહલગ્નના કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ગીગા ભમ્મર (Giga Bhammar) એ કથિત રીતે ચારણ સમાજ અને દલિત સમાજ વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. જે બાદ ચારણ સમાજ અને દલિત સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ જ કાર્યક્રમમાં ગીગા ભમ્મરે ક્ષત્રિય સમાજ (જાડેજા) પર નિશાન સાધ્યું હતું. જેમાં તેઓએ લોક સાહિત્યકાર દેવાયત ખવડ (Devayat Khavad) વિવાદ વિશે વાત કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો છે. 

ગીગા ભમ્મરે આ વીડિયોમાં દેવાયત ખવડ દ્વારા જાડેજા દરબારના ટાટીયા ભાંગી નાખ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. સમૂહલગ્નના કાર્યક્રમમાં ગીગા ભમ્મર (Giga Bhammar) એ સ્ટેજ પરથી કહ્યું હતું કે, ‘ઓલા દેવાયત ખવડે જાડેજા દરબારના ટાટીયા ભાંગી નાખ્યા હતા.’

દલિત સમાજ વિરુદ્ધ ઝેર ઓક્યું

આપને જણાવી દઈએ કે, ચારણ ગઢવી સમાજના અપમાન બાદ ગીગા ભમ્મરે દલિત સમાજ માટે ગેર બંધારણીય – વાંધા જનક શબ્દ બોલી દલિત સમાજનું અપમાન કર્યું હતું, દલિત સમાજ ખોટી એટરોસિટી કરતો હોવાનું ગીગા ભમ્મરે જણાવ્યું હતું. જે બાદ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અધિકાર મંચનાં સહ કન્વીનર માવજી સરવૈયા દ્વારા ભાવનગર આઈજી, એસ.પી ને ગીગા ભમ્મર વિરુદ્ધ પગલાં લેવા રજૂઆત કરાઈ છે. 

link 1

link 2

 


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *