Vadodara Harani boat accident :આરોપી ધર્મિન ભટાણીના 5 દિવસના રિમાન્ડ મંજૂર, Breaking News 1

Spread the love

Vadodara Harani boat accident :હરણી લેક બોટ દુર્ઘટના કેસમાં આરોપી ધર્મિન ભટાણીના કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, આરોપીની અમદાવાદ એરપોર્ટથી કરાઈ હતી ધરપકડ

Vadodara Harani boat accident :વડોદરા હરણી લેક બોટ દુર્ઘટના મામલે મહત્વની અપડેટ સામે આવી છે. આ દુર્ઘટના કેસમાં ઝડપાયેલા આરોપીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. અત્રે જણાવીએ કે, કોર્ટે આરોપી ધર્મિન ભટાણીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ધર્મિન ભટાણીના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની સંભાવનાઓ પણ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, હરણી બોટ દુર્ઘટના કેસમાં ગઈકાલે પણ બે અધિકારી પર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.

Vadodara Harani

Vadodara Harani boat accident :કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

આરોપી ધર્મિન ભટાણીની ગઈકાલે પોલીસે ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને આજે કોર્ટમાં રજૂ કરાઈ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. ત્યારે કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બેંગ્કોકથી પરત ફરતા અમદાવાદ એરપોર્ટથી આરોપીની ધરપકડ કરાઈ હતી. 

એકને ટર્મિનેટ અને એક અધિકારીને સસ્પેન્ડ કરાયો હતો

બોટકાંડમાં ફ્યુચરએસ્ટિક સેલના એડિશનલ આસીટન્ટને ટર્મિનેટ કર્યો હતો. મિતેશ માળીને ટર્મિનેટ કરાયા છે. ઉત્તરઝોન વોર્ડ-3ના એડિશનલ એન્જિનિયર જીગ સચારિયાને સસ્પેન્ડ કરાયા. મ્યુનિસિપલ કમિશનરે 6 અધિકારીને નોટિસ પાઠવી હતી. જેમાં 7 દિવસમાં ખુલાસો માંગ્યો હતું. હજુ વધુ અધિકારીઓ સામે મ્યુનિસિપલ કમિશનર કાર્યવાહી કરી શકે છે.

જાણો સમગ્ર દૂર્ઘટનાનો કેસ

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા.

જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *