કાલોલમાં વિધિના નામે ખોટો ખેલ ખેલતા મદારીઓથી સાવધાન !  Breaking Crime News 1

Spread the love

કાલોલમાં વિધિ કરવાના બહાને ઘરના દાગીના સહિતની છેતરપિંડી કરી ફરાર થતા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

કાલોલ તાલુકાના કરાનાના મુવાડા ગામે મદારી દ્વારા ખોટી રીતે માયાજાળ કરી સ્થાનિક વ્યક્તિને તમારા છોકરાને કંઈક થઈ જશે અને તે મરી જશે તેમ કહી વિધિ કરવાના બહાને ઘરના દાગીના સહિતની છેતરપિંડી કરી ફરાર થતા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગણતરીના દિવસોમાં ચાર મદારી સહિત પાંચ લોકોની ધરપકડ કરી મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો.

વિધિ

મદારી દ્વારા માયાજાળમાં ફસાવ્યા

કાલોલ તાલુકાના કરાના મુવાડા ગામે ગામમાં મદારીનો ખેલ આવ્યો હતો. તે મદારીનો ખેલ દેખવા માટે ગામના કેટલાક લોકો ઉમટ્યા હતા. ત્યારબાદ તે સ્વૈચ્છિક રીતે લોકો દાન આપતા હતા. તે તેમાં ગામના રહીશ દ્વારા દાન આપવામાં આવ્યુ હતુ. તે દરમિયાન મદારી દ્વારા કહેવામાં આવ્યું કે તમે અમને ચા પીવડાવશો તેમ કહી તેને વાતોમાં ઉલજાવીને તમારા છોકરો બે દિવસ દરમિયાન કંઈક તેને થઈ જશે તેમ કહી માયાજાળમાં ફસાવી લીધા હતા. તેને એક પ્રકારની વિધિ કરશો તો તે બચી જશે તેમ કહી તેને પટાવી ફોસલાવી લીધો હતો. 

મદારી દ્વારા વિધિ કર્યા બાદ ઘડો ખોલતા સોના-ચાંદીના દાગીના ગાયબ હતા

ત્યારબાદ તેના ઘરમાં મદારીઓ દ્વારા વિધિ કરતાં એક ગળામાં તમામ દાગીના લાવીને મૂકશો તો તે વિધિ પૂર્ણ થશે તેમ કહી ઘરમાં ગળામાં તમામ દાગીના મૂકી અને વિધિ કરી હતી અને ઘરની બહાર જવા બધા સભ્યોને જણાવ્યું હતું. જો કે દાગીના ગળામાં નહીં પરંતુ તેમને ઘડામાં મુકાવી દીધા હતા મદારી દ્વારા વિધિ કર્યા બાદ જણાવ્યું હતું કે આઠ દિવસ સુધી આ ઘડો ખોલવાનો નથી પરંતુ સમય વીતી જતા તે વ્યક્તિ દ્વારા મદારીને ફોન કરતા ફોન ન ઉપાડતા શંકા ગઈ જે બાદ આજુબાજુના વ્યક્તિઓને લઈને ઘડો ખોલતા તેમાં સોના ચાંદીના દાગીના ગાયબ હતા. સ્થાનિક વ્યક્તિ દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં એક લાખ રૂપિયાના દાગીના છેતરપિંડી કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવા પામી હતી.

પોલીસે મદારીઓ પાસેથી દાગીના કબજે કર્યા

મદારીના છેતરાની જાણ થતાં પોલીસ તુરંત એક્શનમાં આવી પોલીસે તેના મોબાઈલ નંબર અને લોકેશન તેમજ અંગત બાતમીદારોને રોકી ને પૂછપરછ કરતા મદારીઓ બાલાસિનોર બાજુ હોવાનું સામે આવ્યું હતું.  કાલોલ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને મદારીઓને પકડવામાં સફળતા મળી હતી. તેમજ તેમની પાસેથી દાગીના કબજે કરવામાં આવ્યા હતા. 

પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી

ખાસ કરીને મદારીઓ પોતાના ઘર ના લોકોને લઈ ને આવતા છેતરતા હોવાનું સામે આવ્યું છે. મદારીઓ પકડાયા ત્યારે જાણવા મળ્યું કે રાજુનાથ મદારી તેમજ તેના બે પુત્રો તેમજ તેનો બનેવી તેમજ રિક્ષા ડ્રાઇવર તરીકે આવેલો બીજો એક વ્યક્તિ એમ કુલ મળીને પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે મદારીઓ પોતાના પરિવાર સાથે જ લોકોને છેતરતા હોવાનું જાણવા મળી આવ્યું છે.

પકડાયેલા આરોપી 

  • રાજુનાથ ચતુરનાથ મદારી (બાલાસિનોર)
  • સાવનનાથ રાજુનાથ મદારી (બાલાસિનોર)
  • કારણનાથ રાજુનાથ મદારી (હડિયા)
  • સાગરનાથ રાજુનાથ મદારી (હડિયા-બાલાસિનોર)
  • પ્રેમનાથ નટવરનાથ મદારી (કપડવંજ)

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *