ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 50 IAS અધિકારીઓને બદલીના આદેશ કર્યા, એમ.કે. દવે, જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદની બદલી અને ગાંધીનગર કલેક્ટર તરીકે કરાઈ
લોકસભાની ચૂંટણી પહેલા બદલીનો દોર ફરી એક વખત શરૂ થઈ ગયો છે. અત્રે જણાવીએ કે 50 જેટલા IAS અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 50 અધિકારીઓને બદલીના આદેશ આપ્યા છે. એમ.કે. દવે, જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદની બદલી અને ગાંધીનગર કલેક્ટર તરીકે કરાઈ છે.
જ્યારે જી.ટી. પંડ્યા – કલેક્ટર, મોરબીની બદલી અને કલેક્ટર, દેવભૂમિ-દ્વારકા તરીકે કરાઈ છે. વડોદરા કલેકટર એ બી ગોરની મુખ્યમંત્રી કાર્યાલયમા નિયુક્તિ કરાઈ છે જેઓ ખાસ ફરજ પરના અધિકારી તરીકે કામગીરી કરશે.
બદલીનો દોર
ગાંધીનગર, મોરબી, વડોદરા, નવસારી ,ખેડા, ગીર સોમનાથ, વલસાડ, સુરત, છોટાઉદેપુરના કલેકટરોની બદલી કરાઈ છે. ગાંધીનગર કલેકટર તરીકે એમ કે દવેની બદલી કરાઈ છે. જ્યારે બી એ શાહ જામનગર કલેકટરની વડોદરા કલેકટર તરીકે બદલી કરાઈ છે. અમિત યાદવ કલેકટર નવસારીથી ખેડા-નડિયાદ બદલી કરાઈ છે. ટુરિઝમના એમડી સૌરભ પારધીની સુરત કલેકટર તરીકે બદલી. કે એલ બચાણી નવા માહિતી નિયામક બન્યા છે.
જુઓ વિગતવાર કોની બદલી ક્યાં કરાઈ


