Ayodhya Ram Mandir Latest News: પહેલીવાર સામે આવી ભગવાન રામની ઔલોકિક તસવીર, 22 જાન્યુઆરીએ રામ લલ્લાનો અભિષેક કરવામાં આવશે, ત્યારબાદ જ આંખની પટ્ટી હટાવવામાં આવશે
અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની તસવીર પહેલીવાર સામે આવી છે. વાત જાણે એમ છે કે, હાલમાં ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન આંખે પાટા બાંધે છે. 22 જાન્યુઆરીએ રામ લલ્લાનો અભિષેક કરવામાં આવશે, ત્યારબાદ જ આંખની પટ્ટી હટાવવામાં આવશે. જોકે હાલમાં ભગવાન રામની ઔલોકિક તસવીર સામે આવી છે. મહત્વનું છે છે, 22 જનયુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં રામમંદીરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
આ પહેલા ગુરુવારે નવનિર્મિત મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામ લાલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. રામલલાની મૂર્તિને પગથિયાં પર સ્થાપિત કરવામાં કુલ ચાર કલાકથી વધુનો સમય લાગ્યો હતો. ભગવાન રામની આ મૂર્તિને મંત્રોચ્ચાર અને પૂજાની વિધિઓ સાથે શિખર પર મૂકવામાં આવી હતી. આ દરમિયાન શિલ્પકાર યોગીરાજ અને ઘણા સંતો પણ હાજર હતા.