ગુજરાતની તમામ સ્કૂલમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે રજા માટેની માગણી

Spread the love

મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા 22 જાન્યુઆરીએ રજા જાહેર કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો

સુરત સહિત સમગ્ર દેશ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માટે તૈયારી કરી રહ્યો છે ત્યારે સુરત સહિત રાજ્યની તમામ શાળાઓમાં 22 જાન્યુઆરીના રોજ  રજા જાહેર કરવા માટેની માગણી  કરવામાં આવી છે. 

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી સુરત સહિત સમગ્ર દેશ હાલ રામ મય બની રહ્યો છે. શહેર અને રાજ્યોની સ્કુલોમાં પણ રામ જન્મોત્સવ માટે કાર્યક્રમ થઈ રહ્યા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કેટલીક જગ્યાએ રજા જાહેર કરવામાં આવી છે. આ અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા 22 જાન્યુઆરીએ રજા જાહેર કરવા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. 

મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્થાનિક સ્તરે મહોત્સવને ઉજવવા માટે આહવાન આપવામાં આવ્યું છે. અને સમગ્ર વિશ્વના આદર્શ પ્રભુ શ્રી રામ ઘર આગમન મહોત્સવ ઉજવી શકે તે માટે તથા લોકોની આસ્થાને માન આપીને ગુજરાત રાજ્યની તમામ સ્કુલોમાં 22 જાન્યુઆરીના રોજ રજા જાહેર કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.



Spread the love

Related Posts

Surat Crime News :400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા, Breaking News 1

Spread the love

Spread the loveSurat Crime News :સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે Surat Crime News :ગુજરાતના સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે…


Spread the love

Botad News :8 કાર સાથે 1 આરોપીની ધરપકડ, Breaking News 1

Spread the love

Spread the loveBotad News :બોટાદના નાગલપરથી પોલીસે 8 કાર સાથે 1 આરોપીની ધરપકડ કરી છે Botad News :બોટાદમાં કાર ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. બોટાદ LCBએ આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *