અંબાલાલ પટેલની આગાહીમાં જાણો તારીખ : ગુજરાતમાં ભારે પવન, કરા, વરસાદ થશે natural calamity 1

Spread the love

અંબાલાલ પટેલની આગાહીમાં જાણો તારીખ : ગુજરાતમાં ભારે પવન, કરા, વરસાદ થશે
ગુજરાતમાં ભારે પવન, કરા, વરસાદ થશે. અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, અરબ સાગરના ભેજના કારણે 11થી 12 ડિસેમ્બરના રોજ મજબૂત વેસ્ટન ડિસ્ટ્રર્બન્સ આવશે.

અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલ અમદાવાદ: હાલ રાજ્યમાં ઠંડા પવન ફંકાવવાનું જોર ઘટ્યું છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન સૂકું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા, ભારે પવન સાથે માવઠાની પણ આગાહી કરી છે. આ સાથે તેમણે કડકડતી ઠંડીની પણ આગાહી કરી છે. તો આજે આપણે અંબાલાલ પટેલે કરેલી કડકડતી ઠંડી અને માવઠા અંગેની આગાહી વિશે જાણીશું.

અંબાલાલ પટેલએ ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, અરબ સાગરના ભેજના કારણે 11થી 12 ડિસેમ્બરના રોજ મજબૂત વેસ્ટન ડિસ્ટ્રર્બન્સ આવશે. ગુજરાતમાં 12થી 14 ડિસેમ્બરના રોજ ભારે પવન સાથે કરા અને માવઠું થવાની શક્યતા છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજની અસર ગુજરાતના ભાગોમાં થશે અને ધુમ્મસ પણ આવશે. ગુજરાતમાં પણ તેની વહેલી સવારે અસર જોવા મળશે. હવે ધીમે ધીમે ઠંડીનુ પ્રમાણ વધશે. ઉતર ભારતના પવનની અસર ગુજરાત સુધી થશે.

અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાતે કમોસમી વરસાદ અંગે મોટી આગાહી કરતા જણાવ્યુ છે કે, ડિસેમ્બર માસમાં માવઠાનો રહેશે. આ સમયગાળામાં અનેક પશ્ચિમિ વિક્ષેપોના કારણે અવારનવાર માવઠા થવાની સંભાવના છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય વાવાઝોડું તબાહી કરશે અને તે બાદ તેના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે. અમુક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

અમદાવાદ રાજ્યમાં કેટલાક દિવસ પહેલા ઠંડા પવનોની સાથે કેટલાક વિસ્તારોમાં માવઠું થયું હતું જેના કારણે લોકોને ડબલ ઋતુનો અનુભવ થયો હતો. રાજ્યમાં પડેલ કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી હતી,જેમાં ખેડૂતો દ્વારા વાવેતર કરેલ ઉભા પાકમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેતરમાં ઉભો પાક નમી જવા પામ્યો હતો. તો વરસાદી પાણી ખેતરમાં ભરાઈ જતા પાક નિષ્ફળ જવાની શક્યતાઓ ખેડૂતો વ્યક્ત કરી હતી,કમોસમી વરસાદના કારણે તૈયાર શેરડીના પાકની કાપણી અટકી, કમોસમી વરસાદે અમદાવાદ જીલ્લાનાં ખેડૂતોને રડાવ્યા છે.

ધોળકા તાલુકામાં કમોસમી વરસાદને કારણે ગુલાબનીખેતીને ભારે નુકશાન થવા પામ્યું છે. ગુલાબનો પાક ધોવાઈ જતાં ખેડૂતો પાયમાલની સ્થિતીએ પહોંચ્યા છે. વરસાદમાં ગુલાબની પાંદડીઓ ખરી પડતા લાખોનું નુકશાન થવા પામ્યું છે. ગુલાબની ખેતી કરતા ખેડૂતોને પ્રતિ વીઘા 50 હજારનું નુકશાન થવા પામ્યું છે. 50 હજારનાં ખર્ચ સામે ખેડૂતોને 80 હજારનું વળતર મલે છે. ગુલાબની પાંદડીઓ ખરી પડતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે. ગુલાબની ખેતી કરતા બદરખા, રીંઝા, પીસાવાડા ગામનાં ખેડૂતોની પાયમાલીની સ્થિતિ છે. ત્રાસદ, ભેટાવાડા સહિતનાં ગામોાં ગુલાબની ખેતી કરવા ખેડૂતોની દયનીય સ્થિતિમાં.

અંબાલાલ પટેલ

માવઠાએ શિયાળુ પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. તેવામાં વાવાઝોડા અને વરસાદની સ્થિતીને લઇ બનાસકાંઠામાં દિવેલાનો પાક જમીનદોસ્ત થયો હતો. ખેડૂતોએ વાવેલો દિવેલાનો પાક તૈયાર હતો. તેવામાં કહેર બનીને વરસેલો વરસાદને કારણે દિવેલાના પાકમાં ડાળીઓ તૂટી ગઇ હતી. જેને લઇને સમગ્ર પાક નિષ્ફળ જવાની સ્થિતી પેદા થઇ હતી. પાલનપુર વિસ્તારના ખેડૂતોએ પાણીની અછતની વચ્ચે મહામહેનતે દિવેલાના પાકનું વાવેતર કર્યું હતું. જો કે માવઠાના વરસાદને કારણે ખેડૂતોને બિયારણના પૈસા પણ નીકળે તેમ નથી તેવી સ્થિતી પેદા થઇ હતી.

અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે ખેડૂતો માટે સારી આગાહી કરતા તેમણે જણાવ્યુ છે કે, ડિસેમ્બર માસમાં ઠંડી વધતા કૃષિ પાકોને ફાયદો થશે અને રવિ પાક જેવા કે ઘંઉ, રાયડાને પણ ફાયદો થશે.

ડિસેમ્બર માસમાં ગાત્રો થીજવતી ઠંડી અંગેની આગાહી કરતા તેમણે જણાવ્યુ છે કે, ઉતર ભારતમાં ભારે હિમ વર્ષા થશે આ સાથે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. હવે એક પછી એક સિસ્ટમ બનતી રહેશે. તેના કારણે દેશ સહિત ગુજરાતના હવામાનને પ્રભાવિત કરશે. પ્રશાંત મહાસગર અને દક્ષિણ ચીનના સક્રિય થતા વાવાઝોડાના અંશ બંગાળના ઉપસાગરમાં આવ્યા કરશે. જેના કારણે મિચોંગ બાદ પણ કેટલાક વાવાઝોડા આવવાની શક્યતા છે. સાત ડિસેમ્બરથી ઠંડા પવનોની અસર વર્તાશે આ સાથે ગુજરાતમાં 22થી 23 ડિસેમ્બરના ગાત્રો થીજવતી ઠંડી પડશે.

link 1

link 2


Spread the love
  • Related Posts

    Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

    Spread the love

    Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


    Spread the love

    Surat Crime News :400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા, Breaking News 1

    Spread the love

    Spread the loveSurat Crime News :સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે Surat Crime News :ગુજરાતના સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે…


    Spread the love

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *