Chief Minister attended the Murti Pratistha Mahotsav at Nutan Mandir of BAPS in Nadiad 1 good STRONG

Spread the love

Chief Minister ભૂપેન્દ્રભાઈ પટેલ નડિયાદ ખાતે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા

Chief Minister

સંત,શાસ્ત્ર અને સંસ્કૃતિ આ ત્રણ ભારતીય સંસ્કૃતિમાં મુખ્ય છે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં તૈયાર થઈ રહેલ રામ મંદિરના દ્વાર ખૂબ જ ટૂંકા સમયમાં રામ ભક્તો અને સૌ ભારતીયો માટે ખુલ્લા થઈ જવાના છે

પ્રભુ શ્રીરામ ભારતનો આત્મા છે ભારતની ઓળખ છે, ભારતનું ગૌરવ છે

મંદિર ઈશ્વરનું ધામ ,પ્રભુને પામવાનું સ્થાન પરમેશ્વરની ભક્તિ આરાધના ઉપાસના કરવાનું કેન્દ્ર છે

સંસ્થાના વડા શ્રી મહંત સ્વામી અને કેવલ જ્ઞાન પીઠાધિશ્વર પરમ પૂજ્ય શ્રી અવિચલદાસજી મહારાજે પાઠવ્યા આશીર્વચન

Chief Minister શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે,સંત,શાસ્ત્ર અને સંસ્કૃતિ આ ત્રણ ભારતીય સંસ્કૃતિમાં મુખ્ય છે.ભારતીય જ્ઞાન અને ઉપાસના પદ્ધતિ અટલ રહી છે તેની પાછળનું કારણ ભારતની સંત, શાસ્ત્ર અને મંદિર પરંપરાનો સૌથી મોટો ફાળો છે.

Chief Minister એ ઉમેર્યું હતું કે, કોઈએ વિચાર્યું પણ ન હતું કે અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર એક દિવસ આટલી સદભાવનાથી રામ મંદિર તૈયાર થવાનો માર્ગ મોકળો બનશે.પ્રભુ શ્રીરામ ભારતનો આત્મા છે ભારતની ઓળખ છે, ભારતનું ગૌરવ છે. અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું મંદિર બનીને તૈયાર થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અથાગ પરિશ્રમ કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં તૈયાર થઈ રહેલ રામ મંદિરના દ્વાર ખૂબ જ ટૂંકા સમયમાં રામ ભક્તો અને સૌ ભારતીયો માટે ખુલ્લા થઈ જવાના છે.

Chief Minister શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નડિયાદ ખાતે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થઇ ધર્મલાભ લીધો હતો. મુખ્ય મંત્રીશ્રી પ્રમુખ સ્વામિ મહારાજની જન્મ જયંતિની ઉજવણી સભામાં સહભાગી થયા હતા.

Chief Minister શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને બીએપીએસના વડા શ્રી મહંત સ્વામિના હસ્તે નવા મંદિર અને તેના કેમ્પસના મોડેલને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ મંદિરમાં સ્થાપિત મૂર્તિઓની દર્શન કરી નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિ પર અભિષેક કર્યો હતો.

Chief Minister એ જણાવ્યું હતું કે,નડિયાદનું નૂતન સ્વામિનારાયણ મંદિર હોય કે સેકડો વર્ષનું આયોજન પ્રભુ શ્રી રામજીનું મંદિર હોય આ બધા મંદિરો આપણી અસ્મિતા અને ઊર્જાના સ્ત્રોત છે. આવનારી પેઢી વિકસિત ભારતના નિર્માણમાં અગ્રીમ યોગદાન આપે, ભારતીય સત્વ અને તત્વને જાળવીને પ્રગતિનો માર્ગ યુવા પેઢી કંડારે તે માટેની પ્રેરણા આ મંદિરો કાયમ આપતા રહેશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.

Chief Ministerએ ઉમેર્યું કે મંદિર ઈશ્વરનું ધામ ,પ્રભુને પામવાનું સ્થાન પરમેશ્વરની ભક્તિ આરાધના ઉપાસના કરવાનું કેન્દ્ર છે.નડિયાદમાં બનેલું મંદિર ભક્તોના ભાવ પુરા કરવામાં ધર્મ ઉપાસના અને સંસ્કૃતિનું કેન્દ્ર બની રહેશે.

Chief Minister

Chief Minister કહ્યું કે હજારો વર્ષ સુધી વિદેશીઓના શાસનકાળ છતાં ગુજરાતમાં આ ભાગવત પરંપરાઓનો અનેરો ત્રિવેણી સંગમ રચનાર અને હજારો લાખો માનવીઓને સદાચાર અને ભક્તિના માર્ગે લઈ જનાર ભગવાન સહજાનંદ સ્વામી હતા.

ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થપાયેલી એકાંતી ઉપાસનાની અનોખી રીત બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોવા મળે છે.બી.એ.પી.એસના સંતો હરિભક્તો યુવા અને બાળકોની અમીછાપ જનમાનસ પર છે તેમ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

ભૂપેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું કે મંદિરો આપણી વિરાસત છે ભારતના સંસ્કૃતિનું કેન્દ્ર છે, લોક-જીવનને ધબકાર આપતા જીવંત કેન્દ્રો છે આપના આધ્યાત્મિકના કેન્દ્રબિંદુ છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે ખૂબ જ અનુરાગ અને ભક્તિભાવ ધરાવે છે.તેમ જણાવતા મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે,પૂજ્ય મહંત સ્વામી પ્રત્યે પણ તેમને ખૂબ જ ભાવ અને પ્રીતિ છે. સંસ્થાની સત્સંગી પ્રવૃત્તિ સમાજ સેવાના કામોમાં સરકારનો હંમેશા સહયોગ અને સહકાર રહ્યો છે. બીએપીએસ સંસ્થા વિદેશમાં મંદિરનું નિર્માણ કરીને ત્યાં સત્સંગ મંડળો અને સભાઓ કરી આપણી સંસ્કૃતિ અને મૂલ્યોને જાળવી રાખવાનું મોટું કામ કરી રહી છે. વર્તમાન સમયમાં મહંત સ્વામી મહારાજના નવા જુસ્સા સાથે સત્સંગ પ્રવૃત્તિને આગળ ધપાવી રહ્યા છે તેમણે ઉમેર્યું હતું.

સંસ્થાના વડા શ્રી મહંત સ્વામી અને કેવલ જ્ઞાન પીઠાધિશ્વર પરમ પૂજ્ય શ્રી અવિચલદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા.

Chief Minister

સંસ્થાના સંત શ્રી બ્રહ્મ વિહારી સ્વામિએ સૌને આવકારતા જણાવ્યું હતું કે,આ મંદિર માત્ર દર્શનનું નહિ પરંતુ જીવન ઉત્કર્ષના સ્થાન સાથે સામાજિક એકતા અને સમાજની નવરચનાનું કેન્દ્ર બની રહેશે. મંદિર દ્વારા ૧૬૦ જેટલી સમાજ સેવાની પ્રવૃતિ કરવામાં આવે છે.મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મૃદુ અને મક્કમ સ્વભાવ સાથે આધ્યાત્મિક પ્રકૃતિના છે.મુખ્ય મંત્રીશ્રી અંતર ભાવથી ગુજરાતની જનતાની સેવા કરી રહ્યા છે.

પ્રમુખ સ્વામીના જન્મ સ્થાન ચાણસદમાં મહિલા આઇ.ટી.આઈ અને સંસ્કૃત મહા વિદ્યાલય શરૂ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે મુખ્ય મંત્રીશ્રીને યું. એ. ઈ માં સ્થપાયેલ સ્વામિનારાયણ મંદિરના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ પાવન અવસરે સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા,સંસ્થાના સંત શ્રી બ્રહ્મ વિહારી સ્વામિ, ધારાસભ્ય સર્વ શ્રી પંકજભાઇ દેસાઇ, અર્જુનસિંહ ચૌહાણ, સંજયસિંહ મહિડા, યોગેન્દ્રસિંહ પરમાર, કલ્પેશભાઇ પરમાર, સંતવર્ય ડોક્ટર સ્વામિ, શ્રી ત્યાગવલ્લભ સ્વામિ, શ્રી ઇશ્વરચરણ સ્વામિ, શ્રી ભક્તિપ્રિય સ્વામિ, શ્રી વિવેકસાગર સ્વામિ સહિતના સંતગણ, કલેક્ટર શ્રી કે. એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી શિવાની ગોયલ, નગરપાલિકા પ્રમુખ સહિત વિશાળ સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

LINK 1

LINK 2


Spread the love
  • Related Posts

    Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

    Spread the love

    Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


    Spread the love

    Surat Crime News :400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા, Breaking News 1

    Spread the love

    Spread the loveSurat Crime News :સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે Surat Crime News :ગુજરાતના સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે…


    Spread the love

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *