બનાસકાંઠા : સસ્તા અનાજના કાળા કારોબાર ઉપર દરોડા
બનાસકાંઠા જિલ્લાના દાંતામાંથી સસ્તા અનાજના ખાનગી ગોડાઉનમાંથી અનાજનો જથ્થો ઝડપ્યો
બનાસકાંઠા જિલ્લાના દાંતામાં હડાદ રોડ ઉપર રાવણ ટેકરી નજીક આવેલા ખાનગી ગોડાઉનમાં પુરવઠા વિભાગની ટીમે રાત્રે દરોડા પાડ્યા હતા. જ્યાંથી રૂપિયા 9.61 લાખના 34 હજાર કિલો ચોખાનો જથ્થો કબ્જે લેવાયો હતો. જેની સાથે પાંચ વાહનો કબ્જે લઇ કુલ રૂપિયા 35.98 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ દાંતા તાલુકાના ભાંખરી ગામના ગોડાઉન સંચાલક ઇલીયાસભાઇ જાનમહંમદ મેમણ સામે કાર્યવાહી હાથ ધરી હતી જેને પગલે કાળાં બજાર કરનાર શખ્સો માં ફફડાટ ફેલાયો છે વધુમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા થરાદ લાખણી તાલુકામાં ગરીબો નો અનાજ નો જથ્થો બારોબાર સગેવગે થતો હોવાની રાવ ઉઠવા પામી છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ થરાદ પંથકમાંથી અનાજનો જથ્થો રાજસ્થાન માં લઇ જવાતો હોવાનું જણાવ્યું હતું તો જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આવા ઇસમો સામે કાર્યવાહી કરે એવી માંગ ઉઠવા પામી છે
ખાનગી ગોડાઉનમાંથી અનાજનો જથ્થો મળ્યો
ગોડાઉનમાંથી રૂપિયા 9,61,980ના ચોખા 34,355 કિ.ગ્રા. મળી આવ્યા હતા.
પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથધરી