લગ્ન પહેલા દ્વારકા જઈ રહેલા યુવક-યુવતીનું કરૂણ મોત, ધુમ્મસના કારણે થયો અકસ્માત, Accident News 1

Spread the love

લગ્ન પહેલા દ્વારકા જવા નીકળેલા યુવક-યુવતીનું કમકમાટીભર્યું મોત, ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડમ્પર વચ્ચે વહેલી સવારે અકસ્માતમાં પણ 2 લોકોના મોત

આપણે ત્યાં એક પંક્તિ છે કે, ન જાણ્યું જાનકીનાથે કાલ સવારે શું થવાનું…. આવી જ બે ઘટનાઓ ગુજરાતમાં સામે આવતા શોકનો માહોલ છવાયો છે. રાજ્યમાં વધતાં જતાં માર્ગ અકસ્માતના બનાવો વચ્ચે એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજ્યના બે અલગ-અલગ અકસ્માતમાં કુલ 4 લોકોના મોત થયા છે.

વિગતો મુજબ સુરેન્દ્રનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર બંધ પડેલા ડમ્પર પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતા 2 લોકોના મોત થયા તો 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. આ તરફ જામનગર-દ્વારકા રોડ પર અકસ્માતમાં પણ 2 લોકોના મોત થયા છે. લગ્ન પહેલા દ્વારકા જઈ રહેલ યુવક-યુવતીની કાર ધુમ્મસના કારણે પુલ નીચે ખાબકતા મોત થયું છે.

બંધ પડેલા ડમ્પર પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતા 2 લોકોના મોત

રાજ્યના સુરેન્દ્રનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતમાં 2નાં મોત થયાનું સામે આવ્યું છે. વિગતો મુજબ સુરેન્દ્રનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર બંધ પડેલા ડમ્પર પાછળ ટ્રાવેલ્સ બસ અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, અકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયા હતા.

આ તરફ આ અકસ્માતમાં 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત બનતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ આ અકસ્માત જનશાળી ગામના પાટિયા પાસે બન્યો હતો. ઘટનાને લઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લગ્ન ન થઈ શક્યા… પ્રેમ અમર થઈ ગયો…

આ તરફ જામનગર-દ્વારકા રોડ પર અકસ્માતમાં પણ 2 લોકોના મોત થયા છે. અહીં સ્થિતિ એવી બની કે, યુવક-યુવતીના લગ્ન ન થઈ શક્યા પણ તેમનો પ્રેમ અમર થઈ ગયો. વિગતો મુજબ જે યુવક-યુવતીના બે મહિના બાદ લગ્ન થવાના હતા તેઓ પરિવાર સાથે દ્વારકા જવા નીકળ્યા હતા.

આ દરમિયાન ધુમ્મસના કારણે કાર પુલ નીચે ખાબકતા યુવક-યુવતીનું મૃત્યુ થયો છે. દ્વારકા જઈ રહેલા પરિવારના સભ્યોને લીંબડી નજીક અકસ્માત નડતાં યુવક-યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. ઘટનાને લઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *