પોલીસે મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે કેસ નોંધ્યો છે, મૌલાનાને અગાઉના કેસમાં જામીન મળી ગયા હતા.
ભડકાઉ ભાષણ આપવા મામલે મૌલાના મુફ્તી સલમાન અજહરીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. હાલમાં જ જૂનાગઢ જીલ્લાની અદાલતે એક મામલામાં જમાનત આપી દીધી છે. પરંતું હજુ તેમનો છોડવામાં આવ્યા નથી. મૌલાના હાલ પૂર્વ કચ્છ પોલીસની કસ્ટડીમાં છે. હાલ તેઓ ત્રણ દિવસના રિમાન્ડ પર છે.
અરવલ્લી પોલીસે કેસ નોંધ્યો
ત્રણ દિવસનાં રિમાન્ડ પૂર્ણ થતા પહેલા અરવલ્લી પોલીસે મૌલાના સામે વધુ એક કેસ નોંધ્યો છે. મૌલાના વિરૂદ્ધ 24 ડિસેમ્બર 2023 નાં રોજ ભડકાઉ ભાષણ આપવા મામલે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનો પ્લાન છે કે મૌલાના કચ્છ જિલ્લાની પોલીસ કસ્ટડીમાંથી છૂટકાની સાથે જ અરવલ્લી પોલીસ મૌલાનીની ધરપકડ કરશે.

મૌલાનાના ટ્રસ્ટ અને ફંડની હાલ તપાસ ચાલી રહી છે
એક તરફ મૌલાના મુફ્તી સલમાન અજહરીની ભડકાઉ ભાષણ આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ મૌલાનાના ટ્રસ્ટ અને તેઓનાં ફંડિગની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં આ મામલાની તપાસમાં શું સામે આવ્યું છે. તે બાબતે કોઈ જાણકારી આપવામાં આવી નથી. પરંતું પોલીસ આ કેસને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે. તમને જણાવી દઈએ કે, એટીએસે મૌલાનાની રવિવારે મુંબઈથી ધરપકડ કરી હતી.
ભડકાઉ ભાષણ આપવાનો મામલો
મૌલાના મુફ્તી સલામાન અજહરી દ્વારા ભડકાઉ ભાષણ આપવા મામલે એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જે બાદ મૌલાનાને ટ્રાઝિસ્ટ રિમાન્ડ પર એટીએસ દ્વારા ગુજરાત લાવવામાં આવ્યો હતો. ત્યારે હાલ આ સમગ્ર કેસની તપાસ જૂનાગઢ પોલીસે અજહરીના 10 દિવસનાં રિમાન્ડ માંગ્યા હતા. પરંતું કોર્ટે અજહરીનાં બુધવાર સાંજે 4 વાગ્યા સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે બાદ અજહરીને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો.