ચાર શખ્સોએ વડતાલનાં યુવકનું એકટીવા સળગાવી મુકી

Spread the love

ચાર શખ્સોએ વડતાલનાં યુવકનું એકટીવા સળગાવી મુકી

આણંદનાં વલ્લભવિદ્યાનગર પોલીસ મથકની હદમાં બાકરોલ વડતાલ રોડ પર આજથી ત્રણ માસ પૂર્વે પૈસાની લેતીદેતીનાં મામલે વડતાલનાં યુવકનું એકટીવા મોપેડ સળગાવી ભાગી છુટેલા ચાર આરોપીઓને વલ્લભવિદ્યાનગર પોલીસે ઝડપી પાડી તેઓનાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

વીઓઃ આણંદનાં બાકરોલ વડતાલ રોડ પર આજથી ત્રણ માસ પૂર્વે તા,10 ઓકટોબર 2023નાં રોજ દારૂનાં પૈસાની લેતીદેતીનાં મામલે રાજસ્થાનથી કાર લઈ આવેલા ચાર શખ્સોએ વડતાલનાં યુવકનું એકટીવા સળગાવી મુકી ફરાર થઈ ગયા હતા જે બનાવ અંગે વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે સીસી ટીવી કેમેરાના ફુટેજ અને હ્મુમન સોર્સની મદદથી ઈનોવા કારમાં રાજસ્થાનથી આવીને એકટીવા મોપેડ સળગાવી ફરાર થઈ ગયેલા ચાર આરોપીઓને રાજસ્થાનથી ઝડપી પાડી તેઓનાં રિ્માન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

વીઓઃ

વલ્લભવિદ્યાનગર પોલીસે રાજસ્થાન પોલીસની સાથે સંકલનમાં રહીને સીકર જિલ્લાનાં ડાંસરોલી ગામનાં રાહુલ સુરજ્ઞાન મીણા,જયપુર જિલ્લાનાં જોરપુરા ગામનાં સુરજ તુલસીરામ કુમાવત સીકર જિલ્લાનાં દસ્ત્રોલી ગામનાં મનમોહન ઉર્ફે સુરેન્દ્ર ઉર્ફે બબલુ હનુમાનપ્રસાદ મીણા અને સિકર જિલ્લાનાં કાંકરા ગામનાં ભાગચંદ માંગીલાલ મીણા સહીત ચાર આરોપીઓની રાજસ્થાનથી ઝડપી પાડી તેઓને વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે લાવીને ધરપકડ કરી તેઓનાં રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

વીઓઃ પોલીસે ઝડપી પાડેલા ભાગચંદ માંગીલાલ મિણા જે રીઢો ગુનેગાર છે અને તેની વિરૂદ્ધ વિદ્યાનગર પોલીસ મથકમાં એક,દાંતા રામગઢ પોલીસ મથકમાં ચાર, કાલાડેરા પોલીસ મથકમાં એક મળી કુલ છ ગુનાઓ નોંધાયેલા છે,જયારે રાહુલ સુરજ્ઞાન મિણા વિરૂદ્ધ વિદ્યાનગર પોલીસ મથકમાં એક કાલાડેરા પોલીસ મથકમાં લુંટનો ગુનો તેમજ જોબનેર પોલીસ મથકમાં હત્યાનો ગુનો,મળી ત્રણ ગુનાઓ નોંધાયેલા છે જયારે આરોપી સુરજ તુલસીરામ કુમાવત વિરૂદ્ધ વલ્લભવિદ્યાનગર પોલીસ મથકમા એક,કાલાડેર પોલીસ મથકમાં લુંટનો ગુનો અને જોબનેર પોલીસ મથકમા હત્યાનો ગુનો નોંધાયેલો છે,જયારે મનમોહન ઉર્ફે સુરેન્દ્ર ઉર્ફે બબલુ હનુમાનપ્રસાદ મીણા વિરૂદ્ધ વિદ્યાનગર પોલીસ મથકમાં એક અને કાલાડેરા પોલીસ મથકમાં લુંટનો ગુનો નોંઘાયેલો છે.


Spread the love
  • Related Posts

    Shaheed Diwas 2024 :23 માર્ચે કેમ મનાવાય છે શહિદ દિવસ? અને શું છે તેનું મહત્વ, SPECIAL STORY 1

    Spread the love

    Spread the loveShaheed Diwas 2024 :ત્રણ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે, ભારત દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસની ઉજવણી કરવામાં છે Shaheed Diwas 2024 :દેશની આઝાદી માટે અનેક બહાદુર જવાનો…


    Spread the love

    Ahmedabad News :ફ્લેટમાં ભીષણ આગ લાગતા ફાયરની 9 ગાડી દોડી ગઈ, 41 વાહન બળીને ખાખ | Breaking News 1

    Spread the love

    Spread the loveAhmedabad News :અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્શન ફ્લેટના પાર્કિંગમાં મોડીરાત્રે આગ લાગી હતી Ahmedabad News :અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્શન…


    Spread the love

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *